Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 128
________________ બત્રીશી-૪, લેખાંક-૨૫ ૨૬૩ છે કે – “બજારુમાલના આ ઢગલાઓ પર્વતની પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. રતોના આ ઢગલાઓ પોતાના કિરણો વડે સૂર્યની પ્રજાને આક્રાન્ત કરી ચમકી રહ્યા છે, આ શ્રેષ્ઠ મોતીઓના સમૂહથી રચાયેલા હાર છે જે બધાને સ્વગૃહમાંથી પોતાના હોય એ મુજબ સ્વેચ્છાનુસાર લોક લઈ જાય છે.” આમ બોધિસત્ત્વમાં બહુવિભૂતિ હોવી જણાય છે ને કૃપણતાનો અભાવ હોવો જણાય છે, કારણકે અસંખ્યદાનદાતૃત્વ છે. જયારે જિનેશ્વરદેવે તો પરિમિતદાન આપ્યું હોવાથી એમની પાસે પુષ્કળ વૈભવ હતો નહીં ને કૃપણતા હતી એ જણાય છે. માટે બોધિસત્ત્વમાં મહાનતા હતી, જિનમાં નહીં, એ નિશ્ચિત થાય છે. જૈન : શ્રી આવશ્યકનિર્યુક્તિગ્રન્થમાં વરવરિકા કહી છે. એટલે કે ચારેકોર વરદાન માગો-વરદાન માગો એવી ઘોષણા કરાય છે. જે યાચક જે ઇચ્છતો હોય એને એનું દાન કરવું એ શાસ્ત્રીયમર્યાદામાં કિમિચ્છક કહેવાય છે. ચારે નિકાયના દેવો-ઈન્દ્રોરાજાઓ વગેરેથી પૂજાયેલા શ્રીજિનના દીક્ષાકાળે વરવરિકાની ઘોષણાપૂર્વક અનેક પ્રકારનું કિમિચ્છક દેવાય છે. જો ધનનો કે ઉદારતાનો અભાવ હોય તો આવી વરવરિકા સંભવતી નથી. માટે જણાય છે કે પ્રભુએ દાન પરિમિત જે આપ્યું તે, પ્રભુની પાસે વધુ ધન હતું નહીં એ કારણે નહીં કે એવી ઉદારતા નહોતી (કૃપણતા હતી) એ કારણે પણ નહીં. હવે, આ બે કારણ હતા નહીં ને છતાં દાન પરિમિત થયું છે એ હકીકત છે, માટે માનવું પડે કે અપરિમિતદાન લઈ જાય એવા વાચકો કે એટલા યાચકો હતા જ નહીં, માટે દાન અપરિમિત થયું નહોતું. યાકિની મહત્તરાસૂનું શ્રીહરિભદ્રસૂરિ મહારાજે અષ્ટકપ્રકરણગ્રસ્થમાં આ વાત કરેલી જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146