Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 139
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આ બત્રીશીમાં પ્રભુ મહાન હોવામાં મુખ્ય કારણ ‘અવિસંવાદી વચન' કહ્યું. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં ૨૭૪ अयं जनो नाथ तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः ॥ २ ॥ આ શ્લોક દ્વારા અને એની સ્યાદ્વાદ મંજરી વૃત્તિના વૃત્તિકાર શ્રીમલ્લિષણસૂરિ મહારાજે એની વૃત્તિમાં તસ્મિન્ને સ્મિન્નપિ હિ મુળે वर्णिते तन्त्रान्तरीयदेवेभ्यो वैशिष्ट्यख्यापनद्वारेण वस्तुतः सर्वगुणસ્તવનસિદ્ધેઃ એમ કહીને પ્રભુની યથાર્થવાદિતાને જ પ્રાધાન્ય આપ્યું છે. યથાર્થ વચન પ્રભુની મહાનતાની બાબતમાં જ પ્રધાન છે એવું નથી. કિન્તુ જ્યાં જ્યાં એક બાજુ યથાર્થવચન હોય અને બીજી બાજુ અન્ય આચાર, સમૃદ્ધિ, ગુણ વગેરે હોય ત્યાં ત્યાં પ્રાયઃ બધે જ યથાર્થ વચનને પ્રધાન કરવામાં આવે છે એવું ઘણી બાબતોમાં જાણવા મળે છે. જેમકે (૧) નવકારમંત્રમાં શ્રી અરિહંતદેવો કરતાં સિદ્ધભગવંતો સ્વરૂપની બાબતમાં સંપૂર્ણ શુદ્ધ હોવા છતાં યથાર્થ વચન દ્વારા ઉપકારક હોવાથી શ્રી અરિહંતોને પ્રથમ નમસ્કાર છે. (૨) આઠ પ્રભાવકોમાં શાસ્ત્રોની યથાર્થ વાતો કહી શકનારા એવા પ્રાવચનિકને પ્રથમ સ્થાન આપ્યું છે. (૩) સામાન્યતયા તો આલોચના સંવિગ્નગીતાર્થ પાસે લેવાની છે. પણ તેવા સંવિગ્નગીતાર્થ ન મળે તો કોની પાસે લેવી ? એક સંવિગ્ન (=સંયમપાલનમાં ઉદ્યમશીલ) છે પણ ગીતાર્થ નથી. બીજા ગીતાર્થ છે પણ સંવિગ્ન નથી (=સંયમપાલનમાં શિથિલ છે). આવી પરિસ્થિતિમાં અસંવિગ્નગીતાર્થ પાસે લેવાની કહી છે, પણ અગીતાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146