Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 127
________________ ૨૬૨ અનુસરે છે. માટે ભગવાન એની પ્રત્યે કારણ છે. શંકા - ઘડો એ ભારે પદાર્થ છે. એ અદ્ધર રહી શકતો નથી. એને હાથથી પકડવો પડે છે, તો આ બ્રહ્માંડ પણ ખૂબ જ ભારે પદાર્થ છે. માટે એને પણ ધારી રાખનાર કોઈ જોઈએ જ, જે ઈશ્વરાત્મા છે. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન - જીવાત્માઓનો ધર્મ અને લોકસ્વભાવ જ એને ધારી રાખે છે, પછી નવા ધારી રાખનાર ઈશ્વરની કલ્પના કરવાની શી જરૂર ? વળી કોઈપણ વસ્તુને પકડી રાખવા માટે હાથ વગેરે કંઈક જોઈએ છે. બ્રહ્માંડને પકડી રાખનાર આવું કશું ક્યાંય જોવા મળતું નથી. માટે કોઈકે એને પકડી રાખેલ છે એવું માનવું ઉચિત નથી. શંકા - જીવાત્માએ કશું પકડવું હોય તો હાથ વગેરે રૂપ મૂર્ત સાધન જોઈએ. ઈશ્વરાત્મા તો એવા અચિન્ત્યસ્વભાવવાળા છે કે એવા કોઈપણ પ્રકારના મૂર્તસાધન વિના જ બ્રહ્માંડને ધારી શકે છે. સમાધાન - આનો અર્થ એ થયો કે કોઈ એક વિશિષ્ટ સ્વભાવથી આ ધારણ થાય છે. હવે આ સ્વભાવ કોનો માનવો ? એટલો જ પ્રશ્ન રહે છે. તો એમાં લોકનો જ સ્વભાવ (=લોકસ્વભાવ) માનવો જ ઉચિત છે કારણ કે લોકની નવી કલ્પના કરવી પડતી નથી. જ્યારે ઈશ્વરનો એવો સ્વભાવ માનવામાં, સ્વભાવની કલ્પના તો કરવાની જ છે, ઉપરાંત ઈશ્વરની પણ કલ્પના વધારામાં કરવી પડે છે, તેથી એમાં ગૌરવ હોવાથી એ કલ્પના ઉચિત નથી. આમ, બ્રહ્માંડાદિને ધારી રાખનાર તરીકે પણ ઈશ્વરાત્માની સિદ્ધિ થતી નથી. બૌદ્ધ ઃ તારા ભગવાન્ જિનેશ્વરદેવે ત્રણસો અઠ્યાશી કરોડ એંશી લાખ જેટલું પરિમિત દાન આપ્યું હોવાથી એ મહાન્ નથી. જ્યારે અમારા બોધિસત્ત્વ અસંખ્ય દાન દીધું હોવાનું કહેવાયું છે. કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146