Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 122
________________ બત્રીશી-૪, લેખાંક-૨૫ ૨૫૭ એટલે તમારે એવા આત્માની કલ્પના જ કરવાની રહેશે...એટલે કે દોષાત્યન્નાભાવવાળા આત્માની (=જેમાં ક્યારેય દોષ હતા જ નહીં, પહેલેથી નિર્દોષ એવા આત્માની) કલ્પના કરવી પડશે. તો એના કરતાં તો દોષસની કલ્પના (= પહેલાં રાગાદિ દોષ હતા, પછી સાધના દ્વારા એ દોષોનો ધ્વંસ થયો એવી કલ્પના) કરવામાં લાઘવ છે, કારણકે એમાં માત્ર દોષધ્વંસની જ કલ્પના કરવાની રહે છે, દોષÜસવાળા આત્માની નહીં. તે પણ એટલા માટે કે દોષનો અત્યંતાભાવ ઘડા વગેરેમાં પણ રહેતો હોવાથી એની બાદબાકી કરવા માટે દોષાત્યતાભાવવાળા આત્માની વાત કરવી પડે છે. પણ દોષધ્વંસ તો, જ્યાં પહેલાં રાગાદિદોષ હોય ત્યાં જ રહેનાર હોવાથી ઘડા વગેરેમાં રહેવાનો પ્રશ્ન જ નથી... તેથી ત્યાં ‘દોષધ્વંસ’ આટલું જ કહેવા છતાં કોઈ પ્રશ્ન નિર્માણ થતો નથી. માટે દોષધ્વંસની કલ્પનામાં લાઘવ હોવાથી (=ઓછી કલ્પના કરવાની હોવાથી) એ જ કલ્પવું યોગ્ય છે. – શંકા - પણ આવો દોષધ્વંસ (=સર્વથા દોષનો નાશ) થવો શું શક્ય છે ? કોઈ આત્મામાં એ થયો હોય એમાં કોઈ પ્રમાણ છે ? સમાધાન હા. શ્રીસંમતભદ્રાચાર્યે નીચે પ્રમાણે અનુમાન આપ્યું છે - કોઈક આત્મામાં દોષ અને આવરણનો સર્વથા નાશ થાય છે, કારણકે એનું તારતમ્ય જોવા મળે છે. જે જે દોષ અને આવરણનો નાશ ઓછોવત્તો જોવા મળતો હોય છે તેનો તેનો ક્યાંક સર્વથા પણ નાશ થતો હોય છે. જેમકે સ્વહેતુથી થતો સુવર્ણના બાહ્ય અને આંતરિક મલનો નાશ. - અહીં રાગ-દ્વેષ વગેરે દોષો છે અને એના કારણે આત્મા પર ચોંટેલા જ્ઞાનાવરણ વગેરે કર્મ એ આવરણ છે. દૃષ્ટાંતમાં સુવર્ણનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146