Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 71
________________ ૨૦૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કરીને દોષિત ઠેરવી તો શકાય નહીં. પણ બધાએ જ એને માન્ય કરવું પડે” આવું શ્રીધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે ને આ ઉચિત પણ છે જ. નહીંતર અનુશાસન જ ન રહે. ઘરમાં ચાર ભાઈઓ હોય, ચારે વિચક્ષણ છે. કોઈ નિર્ણય લેવાના પ્રસંગે ત્રણ ભાઈઓનો એક અભિપ્રાય છે, અને એક ભાઈનો જુદો અભિપ્રાય છે. તો ત્રણનો અભિપ્રાય જ માન્ય બને છે ને ? એ માન્ય બન્યા પછી ચોથાએ પણ એ જ રીતે વર્તવું પડે ને? દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં આ જ પદ્ધતિ જોવા મળશે. પ્રશ્ન : પણ અનેક ગીતાર્થો દ્વારા કરાતો અર્થ ખોટો હોય તો? ઉત્તર : બહુ સંખ્યક ગીતાર્થોનો નહીં, પણ એકાદ-બે ગીતાર્થોને જે અર્થ ભાસતો હોય તે જ ખોટો હોવાની સંભાવના ખૂબ પ્રબળ છે. પ્રશ્ન ઃ છતાં ક્યારેક અનાભોગ વગેરે કારણે બહુસંખ્યક ગીતાર્થોને ભાસેલો અર્થ ખોટો હોઈ શકે ને ? ઉત્તર : એમણે કરેલો કયો અર્થ ખોટો છે ? એનો નિર્ણય કોણ કરે ? છેવટે ગીતાર્થો જ શરણભૂત છે, ને એમને તો એ અર્થ યોગ્ય જ લાગ્યો છે. માટે એ અસત્ય હોવાનો નિર્ણય શક્ય જ નથી. એટલે જ એને અવિકલ્પે તત્તિ કરવો જોઈએ. જે એને અમાન્ય કરે એ પ્રભુશાસનની મર્યાદાઓનો માથે ભાર રાખનાર ન હોવાથી વસ્તુતઃ આજ્ઞા માનનારા નથી. એટલે એક સરખો અર્થ કરનારા અન્ય ગચ્છાધિપતિ વગેરે રૂપ બહુસંખ્યક ગીતાર્થો નહીં, પણ એનાથી ભિન્ન અર્થને જ સાચો માનનારા એ એક ગચ્છાધિપતિ જ આજ્ઞા બહાર ઠરવાથી હાડકાંના માળારૂપ કેમ ન બની જાય ? પ્રશ્ન : ઠીક છે. છતાં, નવી પ્રણાલિકા વગેરે કાંઈ પણ શરૂ કરવાનું હોય ને એ વખતે શાસ્ત્રપાઠ માગવામાં આવે તો આ બહુસંખ્યક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146