Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 113
________________ ૨૪૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન - તો પ્રસ્તુતમાં પણ પ્રભુ અંગે સ્વરૂપવિશેષ જોઈને થતી મહાનતાની બુદ્ધિ પછી સ્મરણ-નમસ્કારાદિ જે થાય છે તેનાથી વિશેષ પ્રકારનું ફળ મળે છે, એમ જાણવું. પ્રશ્ન : સમવસરણાદિ સમૃદ્ધિ જોઈને થતી “આ મહાન છે એવી મહત્ત્વબુદ્ધિ ધર્મજનિકા નથી, એ તમે કહ્યું. તો શું જોઈને મહત્ત્વબુદ્ધિ થાય તો એ ધર્મનિકા બને ? ઉત્તર : વીતરાગપ્રભુનું સંવાદી, ન્યાયસંગત અને કુતર્કરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યપ્રકાશસમાન એવું વચન એ જ એમનું વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ છે. એટલે કે આવું વચન જાણીને (આવું વચન બોલનારા) આ મહાન છે' આવી જે મહત્ત્વબુદ્ધિ થાય છે એ ધર્મજનિકા છે. જ્ઞાનમાં જે પદાર્થ ભાસે એની પ્રાપ્તિ થાય તો એ સંવાદી કહેવાય. નહીંતર એ વિસંવાદી કહેવાય. “આ રજત છે” એવું વચન સાંભળીને હાથ લંબાવ્યો. જો ચાંદી હાથમાં આવે તો આ સંવાદીવચન (યથાર્થવચન) કહેવાય. એના બદલે જો સુક્તિ (છીપલું) હાથમાં આવે તો એ વિસંવાદી (અયથાર્થ) વચન કહેવાય છે. વીતરાગપ્રભુના સર્વવચનો સંવાદી હોય છે. જે વચન સ્યાદ્વાદમુદ્રાનું ઉલ્લંઘન કરતું ન હોય એ વચન ન્યાયસંગત હોય છે. એટલે કે ભેદ-અભેદ નિત્ય-અનિત્ય. એકઅનેક...વગેરે અંગે એકાન્તને જણાવનાર વચન એ ન્યાયસંગત નથી. જેમકે ઘડો અને ઘડાનું રૂપ.આ બે વચ્ચે એકાન્ત ભેદ (-જુદાપણું) જણાવનાર વચન ન્યાયસંગત નથી, કારણકે એકાન્ત ભેદ સંભવિત નથી. તે આ રીતે - કોઈપણ પદાર્થને બીજા પદાર્થમાં રહેવું હોય તો સંબંધ જોઈએ. જેમકે ઘડાને ભોંય (=ભૂતલ) પર રહેવું છે તો સંયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146