Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 119
________________ ૨૫૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જેમ કપડાથી વીંટલાયેલા પણ મણિની જ્યોતિ બહાર ફેલાય છે, એમ કેવલજ્ઞાન વગેરે આંતરિક ગુણો બહાર પ્રાતિહાર્યાદિરૂપ અભ્યદય દેખાડનારા હોય છે. એટલે કે આંતરિક ગુણપ્રયુક્ત અભ્યદય જેમાં ભળેલો હોય એવી જ બાહ્યસંપત્તિથી મહત્ત્વ માની શકાય છે, એ સિવાયની બાહ્યસંપત્તિથી નહીં. આમ અવિસંવાદી વચન પ્રયુક્ત મહત્ત્વ અને ક્ષાયિકભાવસંગત બાહ્ય સંપદ્ પ્રયુક્ત મહત્ત્વની વાત કરી. શ્રી તીર્થંકરદેવોનું જીવદળ જ અન્ય જીવો કરતાં વિશિષ્ટ હોય છે. એટલે અન્ય જીવો કરતાં તેઓનો સ્વભાવ આ જે જુદો હોય છે તત્વયુક્ત પણ મહત્ત્વ હોય છે. આ મહત્વ કાર્યકલિંગક હોય છે. એટલે કે તીર્થસ્થાપના વગેરરૂપ કાર્યથી જ તે જાણી શકાય એમ હોય છે. આ અંગે વિશેષ વિચારણા આગળના લેખમાં જોઈશું. ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર કેમ નહીં? ધારો કે ઈશ્વરે એક અબજ વર્ષ પૂર્વે દુનિયા બનાવી હોય તો એ એક અબજ વર્ષ પૂર્વે કાંઈપણ હતું કે બિલકુલ શૂન્ય હતું? જો કાંઈ પણ હતું તો એ પણ વિશ્વનું જ એક સ્વરૂપ હતું. તેથી માત્ર રૂપાંતર થયું છે, સર્જન નહીં. જો બિલકુલ શૂન્ય હતું તો એનો મતલબ ધરતી-આકાશ-જીવો-પુગલો વગેરે કહ્યું હતું જ નહીં. તો ઈશ્વર હતા? કયાં હતા? એમને કોણે બનાવ્યા ? શા માટે બનાવ્યા? શેમાંથી બનાવ્યા? જો કોઈએ બનાવ્યા ન હોય તો એનો અર્થ ઈશ્વર અનાદિકાળથી હતા. તો અનાદિકાળમાં અનંતાનંત કાળ પસાર થયો છતાં એમને ક્યારેય દુનિયા બનાવવાની જરૂર ન પડી ને અબજ વર્ષ પૂર્વે જ કેમ અચાનક પડી ? તથા ઈશ્વરે ક્યાં રહીને આ વિશ્વ બનાવ્યું? રો મટીરીયલ્સ (અનુસંધાન પેજ નં. ૨૬૭ ઉપર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146