SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૧૭ ૧૭૧ વાત નથી પણ અનેક ગીતાર્થો જે આચરતાં હોય એની અહીં વાત છે. બહુમતિ ગીતાર્થોએ લીધેલા નિર્ણયમાં આવી સંભાવના સંભવતી નથી. જે સંવિગ્નગીતાર્થ નથી એનું તો સુંદર બુદ્ધિથી કરેલું આચરણ પણ ઘણુંખરું પરિણામે સુંદર બનતું નથી, એવું શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે જે આપણે આગળ જોઈ ગયા છીએ. આચરણમાં જે રાગ-દ્વેષ પ્રયુક્ત શિથિલતા આવે છે તે તો રાગવૈષ પ્રયુક્ત હોવાના કારણે જ “જીત' રૂપ બનતી નથી એ સ્પષ્ટ છે. અર્થાત્ એવા કોઈ દેશ કાળાદિને નજરમાં લેવામાં આવ્યા નથી, પણ રાગ-દ્વેષ કે પ્રમાદને વશ બની શિથિલ આચરણ કર્યું, ને પછી એના બચાવ માટે દેશ-કાળને આગળ ધરવામાં આવે તો એ વિરાધનારૂપ છે એ સ્પષ્ટ જ છે. શંકા-સંવિગ્નગીતાર્થોનું આચરણ “માર્ગ'રૂપ બને એ બરાબર. પણ આચરણ માટેના પટ્ટક વગેરે કરનારા જે આચાર્ય વગેરે મહાત્માઓ છે એ બધા ગીતાર્થ થોડા છે? શાસ્ત્રના રહસ્યાર્થ તેઓ પામેલા ન હોવાથી અગીતાર્થ છે.. પછી એમના આચરણને વિરાધનારૂપ કેમ ન કહેવાય? સમાધાન - બીજા બધા અગીતાર્થ છે ને અમે જ સાચું તત્ત્વ સમજેલા હોવાથી ગીતાર્થ છીએ” આવું માનવાવાળા જ વસ્તુતઃ તત્ત્વના અજાણ અગીતાર્થ હોય છે એવું શ્રીયોગસારમાં કહ્યું છે. तात्त्विका वयमेवान्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः । રૂતિ મત્સરિnો તૂરોત્સારિતાસ્તવસારતઃ | ૨-૧૦ના અર્થ : “માત્ર અમે જ તત્ત્વના સાચા જાણકાર ગીતાર્થ છીએ. બીજા બધા તો તત્ત્વને સમજવામાં બ્રાન્ત થયેલા છે અને તેથી અતાત્ત્વિકઅગીતાર્થ છે. આવું જેઓ માને છે અને કહે છે તેઓ ઈર્ષ્યાખોર છે અને તત્ત્વના સારથી-ગીતાર્થપણાથી ક્યાંય દૂર ફેંકાઈ ગયા છે. વિશેષ આગળના લેખમાં વિચારીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy