Book Title: Agam Jyot 1974 Varsh 10
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
View full book text
________________
ચીજ છતાં દેવ-ગુરૂ–પ્રતાપે જિનશાસનની શ્રદ્ધાબળે પરમારાધ્ય શ્રી પંચપરમેષ્ઠીઓની ચરણકૃપાથી તેમજ શાસ્ત્ર પર્યધકે વાત્સલ્યવારિધિ ૫. સ્વ. ગચ્છાધિપતિશ્રીની મંગળ આશિષ અને મારા જીવનના ઘડતરનાં અનન્યશિલ્પી, પરાકારી મહાતપસ્વી, પરમારાધ્ય પૂ. ઉપાધ્યાય ભગવંત - ગુરુદેવશ્રીના કૃપા-કટાક્ષ પ્રતાપે યત્કિંચિત સફળતાના પથે પગલાં માંડી શકયો છું, એમ અનુભવથી સમજાય છે.
આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાવોના કરુણાભર્યા ધર્મ–સહયોગની નોંધ નમ્રાતિનમ્રભાવે કૃતજ્ઞતાપૂર્વક લઉં છું.
પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના ઉપપદા-પ્રાપ્ત, શિષ્યરત્ન વિઠય પૂ. પં. શ્રી કંચનસાગરજી મ.
" જેઓની મમતા, લાગણભરી વિવિધ સુચનાઓ અને કાર્યલક્ષી માર્મિક શૈલિ આદિએ સંપાદન કાર્યને સફળ બનાવ્યું છે.
પૂ. આગમારક આચાર્ય દેવશ્રીના લઘુશિષ્યરત્ન, કર્મપ્રથાદિવિચાર-ચતુર સહદયી , પં. શ્રી સૂર્યોદય સાગરજી મ.
જેઓએ વિવિધ હાર્દિક પ્રેરણાઓ, આર્થિકક્ષેત્રે મને નિશ્ચિત બનાવનાર ભવ્ય જનાઓ અને તાત્વિક સામગ્રીની ભવ્ય ગોઠવણીની રૂપરેખા આદિદ્વારા મારા કાર્યભારને હળવે બનાવેલ છે. પરમપૂજ્ય શાસન પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મ.
જેઓએ નિજ ધર્મસ્નેહ અને અંતરની લાગણી સાથે , આગદ્વારકશ્રીની શ્રી તત્વાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસીપી સાદર મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણી મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપે છે.
- પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ ધર્મ સ્નેહી મુનિરત્ન શ્રી ગુણસાગરજી મહારાજ.
જેઓની વિવિધ ધાર્દિક મમતાભરી સૂચનાઓથી સંપાદનનું કાર્યક્ષેત્ર વધુ નિર્મળ થયું.
આ ઉપરાંત આ સપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની-મેટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મસ્નેહી મુનિશ્રી : અરેક

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 204