________________
પર
આગમ જ્યોત
કિયાએ કર્મ પરિણામે બંધ
તિજોરીમાં લાખ કે કરડે હોય તેથી કાંઈ તિજોરીને લાગણી , થવા પામતી નથી. જ્યારે મનુષ્યને લાખ કે કોડ મળે છે તેથી તેને લાગણી થવા પામે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે લાખને આધારેજ લક્ષાધિપતિની ગણના થવા પામતી નથી. પરંતુ લાગણીને આધારે જ લક્ષાધિપતિપણાની કિંમત છે. આ ઉપરથી કબુલ કરી શકાશે કે લૌકિક દષ્ટિ એ તત્ત્વ વિનાનીજ ચીજ છે જ્યારે લોકેત્તર દષ્ટિ એ મૂળતત્વને પકડનારી ચીજ છે.
આથી એ વાત સ્વીકારી શકાશે કે, “પરિણામ બંધ આપનાર છે,” પણ ક્રિયાએ કર્મ અને પરિણામ બંધ આપનાર છે” આ વાક્યમાં કેટલાક ભવ્ય જીવો પણ અજ્ઞાનતાને લીધે માર્ગ ચૂકી જાય છે.
આ વાક્યના સંબંધમાં માર્ગ ચૂકનારાએ એ અર્થ લે છે. કે ક્રિયા ગમે તેવી થાય તેની ફિકર નથી. પરિણામ સુંદર જોઈએ, કારણ કે બંધ એ તે પરિણામ ઉપર આધાર રાખનારી ચીજ છે. આ રીતે કહીને જેઓ માર્ગભ્રષ્ટ થાય છે, તેમણે શાસ્ત્રજ્ઞાને મર્મ સમજવાની જરૂર છે. શાસ્ત્રકારને ઉપલું વાકય શા માટે કહેવું પડયું છે? તે વિચારે
ન્યાયાધીશની પાસે કઈ ન મુકામે આવે છે અને તે જ્યારે તેને ન્યાય આપે છે, ત્યારે વાદિપ્રતિવાદી બને ન્યાયાધીશની પાસે ન્યાય લેવા બેઠેલા હોય છે. વાદિપ્રતિવાદી જે ન્યાયાધીશના કબજામાં ન હોય, તે ન્યાયાધીશની સત્તાથી બહાર હય, તે ન્યાયાધીશ પિતે ચૂકાદે આપતા નથી. એજન્યાયે ન્યાયાધીશરૂપી બંધની આગળ અથવા શાસ્ત્રકારની આગળ પરિણામ અને ક્રિયા એ બંને ચુકાદ લેવાને માટે ગયા છે, ત્યારે શાસ્ત્રકારને તેમને ચૂકાદે આપતાં ઉપરનું વાક્ય કહેવું પડ્યું છે. ક્રિયા અને પરિણામ એ બંનેને શાસ્ત્રકાર પાસે ચૂકાદ લેવા આવવું પડે છે, તે એવું અનુમાન કરવું સહજ છે કે એ બેને કોઈ સંબંધ છે જ જોઈએ. વાદી કેટે જાય છે, તે પણ પ્રતિવાદીના સંબંધને અંગે જ કેટે જાય છે. પ્રતિવારી