________________
પુસ્તક ૪ સ્થુ
આ કાઠા ઉપર ધ્યાન દેવાથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરનારા મનુષ્ય હેાય તે ચારિત્રની જધન્ય આરાધનાવાળા ન હોય, અર્થાત્ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળાને ચારિત્રની મધ્યમ કે ઉત્કૃષ્ટ આરાધના તેા હોવી જોઇએ, તેવી રીતે દર્શનની ઉત્કૃષ્ટ આરાધનાવાળાને ચારિત્રની આરાધના ન હેાય તે ન ચાલે, પણ જઘન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ એ ત્રણમાંથી કાઇ પણ આરાધના તા હોવી જોઈએ.
આ ઉપરથી એકલા ક્ષાયિકસમ્યક્ત્ત્વવાળા ભલે ઉત્કૃષ્ટ ગણાય, પણ તે દર્શનની આરાધનાવાલા તે ન ગણાય, તેવી રીતે ધ્યાન રાખવું જોઈએ કે ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાવાળાને જ્ઞાનની અનારાધકતા । ન હોય. આરાધના તેા જરૂર હોય, પછી તે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કાઈ પણ પ્રકારની હાય. અર્થાત્ અષ્ટ પ્રવચનમાતા જેટલું પણ જ્ઞાન હોવું જોઈએ. અને ચારિત્રઆરાધનાની ઉત્કૃષ્ટતાવાળાને દનની તા મધ્યમ અને ઉત્કૃષ્ટ આરાધના હાય, અર્થાત્ દર્શનમાં જઘન્ય આરાધનાવાળા ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાવાળા ન હાય.
આ સર્વ હકીકત સમજીને સન્યજીવાએ સતત મેાક્ષમાર્ગની અભિલાષાએ ત્રણેની આરાધનામાં જરૂર તત્પર રહેવું જોઇએ.