________________
પુસ્તક ૪ થું
ઉત્તર. વ્રતના અંગીકારમાં છ જવનિકાયની શ્રદ્ધારૂપ સમ્યકત્વની પ્રધાનતા હોવાથી તે સમ્યકત્વ આદિમાં જ પ્રારંભમાં જ કહેવાય છે. તે છ કાયના જીવની શ્રદ્ધા વગર શાય વગેરેની શિક્ષાદિકની માફક -ત્રમ-થાવરના વધની સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરતિરૂપ મહાવ્રત વગેરેનું અવાસ્તવિકપણું થાય.
પરિગણનામાં એટલે ૧૮ પાપસ્થાનકની ગણતરીમાં તે હિંસા - વગેરે ના છેડે તે પણ “તે પાપસ્થાનેનું છેવટે હિંસા વગેરે પાપનાં કારણે છે તે રૂપ અધ્યવસાય તે રૂપ સમ્યકત્વનું ત્યાં વિવક્ષાપણુ કહેવા ધારેલું હોવાથી અઢારમું પાપસ્થાનક જે મિથ્યાત્વ -શલ્ય છે તે છેલ્લે મૂકેલું છે. શોમાં માયા-નિયાણ-મિથ્યાત્વ -શલ્ય એ ત્રણ શલ્ય અનુક્રમે અલ્પ-અલ્પ સંભવિ છે. ઉત્તરોત્તર અ૯૫, અલ્પતર, અલ્પતમ છે, માટે છેવટે મિથ્યાત્વશલ્ય કહેલું છે શ્રી આપપાતિક સૂત્રમાં કહેલી શ્રી વીર ભગવાનની દેશનામાં પણ પાપ અને પાપવિરતિને આ જ ક્રમ છે.
માંસાહાર વગેરે નરકના આયુનું કારણ છે એમ દેખાવાથી માંસ વગેરેની સ્થિતિ સુકર જ છે-સહેલી છે. જો કે) દેશનાનું -ગ્રહણ ઉભયની અપેક્ષા એ છે. છતાં પણ વસ્તુ સ્વરૂપ સમજવામાં ચતુર એવા અન્યમૂથિકેને આશ્રીને સમ્યકત્વ વગેરે ક્રમે દેશના છે. એટલે કે પ્રથમ સમ્યકત્વ પછી પ્રાણાતિપાતની દેશ કે સર્વવિરતિ, -એ ક્રમ હોય છે એટલા માટે જ અતિચારની વ્યાખ્યામાં સમ્યકત્વના
અતિચારેનું ઉપાસકદશાંગ આદિમાં પહેલાં કથન છે. પરિણતિરૂપ -ગુણસ્થાનકની અપેક્ષાએ તે પહેલાં જ સમ્યકત્વ હોય છે. કારણ કે
ત્યાં તે) દર્શનસમકને જ પહેલાં ક્ષપશમ વગેરે હોય છે.
[ તરિવર પ્રશ્નોત્તળ ગ્રંથના ૭૭ પ્રશ્નો સમાપ્ત. ]