Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 261
________________ આગમ ચેત મેક્ષના માર્ગમાં પેઠે જ નથી એમ કહેવાય, અને તેથીજ સમ્યક ચારિત્ર વિનાના સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ ઉત્તમ છતાં પણ સાધકપણાવાળે તે નથી જ, એટલે એ સમ્યગ્દર્શનાદિ ત્રણે એકઠાં થાય અર્થાત જ્યારે સમ્યફ ચારિત્ર પ્રાપ્ત થાય ત્યારે જ તે સમ્યગ્દનાદિ ત્રણેને સાધક તરીકે ગણીયે, તે વ્યાજબી ગણાય. આ કારણથી ભાષ્યકાર મહારાજ સ્પષ્ટપણે જણાવે છે કે એ સમ્યદર્શનાદિ ત્રણમાંથી એકને પણ અભાવ હેય તે તે બાકીના બને મોક્ષનાં સાધન નથી, પણ અસાધન જ છે. આ ઉપરથી નક્કી થયું કે આરાધકપણાની સ્થિતિ પણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનવાળા. છતાં પણ જયારે સમ્મચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે જ ગણી શકાય. એ વાત સમજવાથી હવે જે ભગવતીજી સૂત્રકારે દર્શનની જઘન્ય. આરાધનામાં જે આઠ ભવે મેક્ષની પ્રાપ્તિ જણાવી છે અને ટીકાકારોએ ચારિત્ર સહિતની જ સમ્યગ્દર્શનની જઘન્ય આરાધના લીધી. છે, તેને ખુલાસે સહેજે સમજાશે. વળી સામાન્યરીતે વિચારનારા અને માત્ર સૂત્રથીજ અર્થ સમજના મનુષ્ય કદાચ એમ ધારે કે જઘન્ય પણ સમ્યગ્દર્શનની આરાધનાથી આઠ ભવે મોક્ષ જરૂર થાય છે, અને સમ્યગ્દર્શનની માફકજ સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની આરાધનાથી પણ આઠ-- ભવેજ મેક્ષની પ્રાપ્તિ થાય છે, એટલે એમ સમજાય કે એકલા. સમ્યગ્દર્શનની જઘન્ય આરાધના જધન્યપણે ચારિત્ર અને જ્ઞાન. આરાધનાન જેવી ફલ દેનારી છે, અર્થાત ચારિત્રની તેટલી આવશ્યકતા નથી. વળી ઉત્કૃષ્ટઆરાધનામાં પણ જેવું ફલ સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટ આરાધનામાં છે તેવું જ ફલ ચારિત્રની પણ ઉત્કૃષ્ટ આરાધનાથમાં. છે તે એથી પણ ચારિત્રની નિરર્થકતા નહિં તે અનાવશ્યકતા તે જરૂર છે એમ માને પણ તેનું આ માનવું યોગ્ય નથી. કારણ કે સમ્યફચારિત્રનું વિશેષ ફલ નથી એમ નથી, પણ સમ્યગ્દર્શન આતિની જઘન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ જે આરાધના લીધી છે તે બધી

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314