Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 17
________________ ૧૬ તેઓએ શરૂ કરેલ આગમસંશોધનના કાર્યને વણથંભ્યું આગળ વધારવું એ આપણી પવિત્ર ફરજ છે; તેઓશ્રાને સાચી શ્રદ્ધાંજલિ પણ એ જ છે : કંઈક આવી લાગણીથી પ્રેરાઈ ને, પૂજ્યપાદ મહારાજશ્રીના સ્વગૅવાસ ખાદ પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા મુંબઈ આવ્યા ત્યારે, તેઓની હાજરીમાં, વિદ્યાલયની આગમ પ્રકાશન સમિતિ તથા વિદ્યાલય હસ્તકના જિનાગમ ટ્રસ્ટની સંયુક્ત સભા તા. ૨૨-૬-૭૧ ના રોજ આ અંગે વિચારણા કરવા ખોલાવવામાં આવી હતી; અને એમાં વિગતવાર ચર્ચા-વિચારણાને અંતે, આગમપ્રકાશનનું કાર્ય ચાલુ રાખવા અંગે, સર્વસંમતિથી, નીચે મુજબ નિર્ણય લેવામાં આવ્યો હતો :— “ ૧. પૂષાદ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસને કારણે તેઓશ્રીની પ્રેરણાથી વિદ્યાલયે શરૂ કરેલ આગમ પ્રકાશનના કાર્યમાં ન પૂરી શકાય એવી મોટી ખોટ ઊભી થઈ છે. પણ તેઓએ જીવનભર, આગમોના સંશોધન માટે, લગભગ બધાં પવિત્ર આગમસૂત્રોનાં પાઠ-પાઠાંતરો નોંધીને પાશુદ્ધિનું પાયાનું કા કરેલું છે તે જોતાં, તથા આગમોની શુદ્ધ વાચનાઓ છપાવવાની તેઓની ઉત્કટ ભાવના શ્વેતાં, આગમપ્રકાશનના કાર્યને ચાલુ રાખવું અને બનતી ત્વરાએ એને પૂરું કરવું. “૨. અત્યાર સુધી આ કાર્યમાં પંડિત શ્રી દલસુખભાઈ માલવિયા તથા પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ જે પ્રકારનો સહકાર આપતા રહ્યા છે, તે પ્રકારનો સહકાર તેઓની પાસેથી લેવાનું ચાલુ રાખવું; અને જ્યાં પણ કોઈ શંકા ઊભી થાય ત્યાં એનું નિરાકરણ કેવી રીતે લાવવું એ માટે પરમપૂજ્ય આચાર્યં શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજશ્રીનું માર્ગદર્શન મેળવવુ, “ ૩. આ કાર્યને વેગ મળે એ માટે પરમપૂજ્ય મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ, અન્ય જે મુનિરાજે તથા જે વિદ્વાનો આમાં સહજભાવે સહકાર આપવા તૈયાર હોય તેઓનો સહકાર લેવો. “ ૪. આ કાર્ય માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે આગમ પ્રકાશન સમિતિના સભ્યોએ પૂનામાં ચતુર્માસ બિરાજતા પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને અને તેટલાં વહેલાં મળવું અને પછી ખીજાઓનો સહકાર મેળવવાની દિશામાં આગળ વધવું. ’ અંતમાં, અમે પૂજ્યપાદ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના અનેકવિધ ઉપકારોનું પુનઃ પુનઃ સ્મરણ કરીને તેઓશ્રીને ફરી અમારી અંતરની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ; અને સંસ્થાએ શરૂ કરેલ આગમપ્રકાશનની મહાન યોજના સાંગોપાંગ પૂરી કરવાની ભાવના અને શક્તિ અમારામાં જાગતી રહે એવી પ્રાર્થના સાથે અમારું આ નિવેદન પૂરું કરીએ છીએ. ઑગસ્ટ ક્રાંતિ મા મુંબઈ-૩૬ તા. ૨૦-૯-૧૯૭૧ Jain Education International જયંતીલાલ રતનચંદ્ર શાહ ખાલચંદ ગાંડાલાલ દોશી રતિલાલ ચીમનલાલ કોઠારી માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 934