Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Th( 5.
અનુપમ આધ્યાત્મિક એકાંત પ્રશસ્ત શાંતરસ તરફ લઈ જવા માટે “શમ” માંથી વાત ઉપાડી છે. જેથી નગરી અર્થાત્ પૃથ્વી તત્ત્વને પ્રથમ બતાવ્યું છે. તેમાં સહિષ્ણુતાનો ગુણ ભર્યો છે, તે વાત બતાવતાં એક બાજુશિલાપટ્ટકનું વર્ણન કર્યું અને બીજી બાજુ વનરાયયુક્ત પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન કર્યું. આ બે વાતો બહુજ મનનીય છે.
રચયિતા સ્થવિર ભગવંતોએ ઉત્પત્તિની મર્મભરી વાતો બતાવી છે. દરેક વસ્તુ ઉત્પન્નશીલ જરૂર છે પણ પ્રયત્નપૂર્વક ધ્રુવમાંથી ઉત્પન્ન થાય છે. ધ્રુવની ધરતી જીવની પણ છે અને અજીવની પણ છે. એક બાજુ શૃંગારાદિ આઠ રસ રાખ્યા છે, બીજી બાજુ મહાન સમર્થ શાંતરસ રાખ્યો છે. આઠ રસના ભોક્તામાંથી પસાર થઈને શાંત રસમાં જવાય છે તેમ આ બાજુ ચૈત્ય-મંદિરમાં દેવની પ્રતિમા પૂર્ણ ભોગમય છે, બીજી બાજુ શિલાપટ્ટક ઉપર શાંત રસના વારસદાર, હાલતા ચાલતા માનવ મંદિર દ્વારા જગતની ધરતીને પવિત્ર ધૂલીથી ધૂસરિત કરતા બિરાજમાન થનારા ભગવાન તીર્થકર વીતરાગ પરમાત્મા પ્રભુ મહાવીર છે. બંને આમને-સામને શોભે છે. એક છે કુત્રિમ આડંબર. જગત પાસે અનાદિ કાળથી ભીખ માંગીને ભેગો કરેલો ભોગ અને તેમાંથી કર્મ દ્વારા ઉત્પન્ન કરેલું જડ જગતનું શરીરરૂપી ભોગાયતન, તો બીજી બાજુ જડને(કમે રજને) ખંખેરીને તૈયાર કરેલું યોગાયતન.
સહુ પ્રથમ ભોગાયતન કેવું હોય? તેને સમજવા કોણિક રાજાનું આબેહૂબ વર્ણન કર્યું. રાજા તરીકે રાજ્ય ભોગવે છે. તેને શરીર પ્રત્યેનો રાગ છે તેથી શણગાર સજાવટ કરવાનું મન થાય છે. સાહિત્યકારો કહે છે કે “શૃંગારરસનું મૂળ કારણ રતિ છે” જ્યાં જ્યાં રતિ કે પ્રીતિ હોય ત્યાં નવા નવા શૃંગાર લાવીને કાયાને શોભાવવાનું મન થાય, તો આ રીતે પ્રથમ શ્રૃંગારરસ પ્રગટ કર્યો છે. શરીર શોભાયમાન થતાં આનંદ થાય અર્થાત્ હાસ્યરસ તેનું કારણ છે. હાસ્ય મોહનીયમાંથી તે કાર્યરૂપે પ્રગટ છે. મન માન્ય કાર્ય જ્યારે અધૂરું રહે ત્યારે તેને પૂરું કરવા શોક ગમગીની ઉત્પન્ન થાય તેમાંથી ત્રીજો કરુણારસ ઉત્પન્ન થાય છે. રાજા રાણીઓ વગેરે જાગતિક જનતા આ રસથી ગ્રસિત હોય તેવી કરુણાજનક સ્થિતિમાંથી પસાર થતાં ક્યારેક જીવ ક્રોધી બને તેમાંથી રૌદ્રરસ પ્રગટે અને માનવ રૌદ્ર ચહેરાવાળો બની જાય, આ છે ચોથો રૌદ્રરસ. તેની મુરાદ પુરી કરવા ક્યારેક ઉત્સાહિત બની કાર્ય કરવા કટિબદ્ધ થાય ત્યારે વીરરસ પ્રગટ થઈ જાય, આ છે પાંચમો વીરરસ. વીરતા દાખવતા તેને થઈ જાય કે મને કોઈક મારશે તેવો ભય ઉત્પન્ન થાય તે ભયમાંથી માનવ ભયાનક બને માટે છઠ્ઠો રસ છે ભયાનકરસ. ત્યારપછી માનવ ધૃણાજનક કાર્ય કરવા તત્પર બને ત્યારે તેમાંથી સાતમો બીભત્સ રસ ઉત્પન્ન થાય છે. તે જ વ્યક્તિ ક્યારેક વિસ્મયતાવાળી બને ત્યારે આઠમાં
30