Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિભાગ-૧: સમવસરણ
કાલ, ભાવથી વિવિધ પ્રકારના નિયમો-અભિગ્રહનું પાલન કરતા હોવાથી નિયમ પ્રધાન, જીવ-અજીવ આદિ તત્ત્વોનું સ્વરૂપ યથાર્થપણે પ્રગટ કરતા હોવાથી સત્યપ્રધાન, અંતઃકરણને પવિત્ર અને શુદ્ધ રાખતા હોવાથી શૌચપ્રધાન કાંતિ, કીર્તિ અને ઉત્તમ બુદ્ધિના ધારક હોવાથી ચારુવર્ણ, પાપ કાર્યમાં લજ્જાશીલ, તપસ્વી, અને ઇન્દ્રિયવિજયને પ્રાપ્ત થયેલા, પવિત્ર હૃદયવાળા, નિદાન રહિત, ઉત્સુકતા રહિત, ચિત્તવૃત્તિ સંયમારાધનાથી બહાર જતી નથી તેવા અબહિર્લેય, અપ્રતિશ્ય–અશુભ લેશ્યા રહિત એટલે વર્ધમાન પરિણામોથી યુક્ત, ઉચ્ચ સંયમ ભાવોમાં લીન દમિતેન્દ્રિય તે મુનિવરો નિગ્રંથ પ્રવચનને નજર સમક્ષ રાખીને એટલે જિનાજ્ઞા પ્રમાણે વિચરતા હતા. | २३ तेसिणं भगवंताणं आयावाया वि विदित्ता भवंति, परवाया वि विदित्ता भवंति, आयावायं जमइत्ता णलवणमिव मत्तमातंगा, अच्छिद्दपसिणवागरणा, रयण-करंडगसमाणा, कुत्तियावणभूया, परवाइपमद्दणा, आयारधरा, चोद्दसपुव्वी, दुवालसंगिणो,समत्तगणिपिडगधरा, सव्वक्खरसण्णिवाइणो, सव्वभासाणुगामिणो, अजिणा जिणसंकासा, जिणा इव अवितहं वागरमाणा संजमेणं तवसा अप्पाणं भावमाणा विहरंति । ભાવાર્થ:- તે સ્થવિર ભગવંતો આત્મવાદ એટલે સ્વસિદ્ધાંત પ્રતિપાદિત તત્ત્વોના સંપૂર્ણ જ્ઞાતા હતા; અન્ય દાર્શનિકોના સિદ્ધાંતોને પણ સારી રીતે જાણતા હતા; જેવી રીતે કોઈ મદોન્મત હાથી ક્રીડા કરવા માટે વારંવાર કમલવનમાં જતો હોય, તો તે હાથી કમલ વનથી પરિચિત હોય છે. તે જ રીતે જ્ઞાનરૂપી સરોવરમાં વારંવાર ક્રીડા કરવાથી સ્વ-પર સિદ્ધાંતરૂપી કમલ વનથી પૂર્ણ પરિચિત હતા; તેઓ સતત પૂછાતાં પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપતા હતા. સમ્યગુ દર્શન, સમ્યગ્રજ્ઞાન આદિ વિવિધ ગુણરૂપી રત્નોના ભંડાર હતા; ત્રણ લોકના ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત કરવાની લબ્ધિના ધારક હોવાથી કુત્રિકા પણ સમાન હતા; આચારાંગ સૂત્રથી લઈને વિપાકસૂત્ર સુધીના આગમોના ધારક; ૧૪ પૂર્વના જ્ઞાતા, તે જ રીતે સંપૂર્ણ દ્વાદશાંગીના જ્ઞાતા; સમસ્ત ગણિપિટકના ધારક; સર્વ પ્રકારના અક્ષરોના સંયોગથી થતાં વિવિધ શબ્દોના તથા વિવિધ અર્થના જ્ઞાતા હોવાથી સર્વાક્ષરસન્નિપાતિ લબ્ધિના ધારક; આર્ય-અનાર્ય સર્વ દેશોની ભાષાના જાણકાર હતા. તેઓ સર્વજ્ઞ ન હતા, પણ સર્વજ્ઞ જેવા હતા. સર્વજ્ઞની જેમ વસ્તુ તત્વની યથાર્થ પ્રરૂપણા કરનારા હતા. તેઓ સત્તર પ્રકારના સંયમ અને બાર પ્રકારના તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ભગવાન મહાવીરના અણગારો:२४ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे अणगारा भगवंतो इरियासमिया, भासासमिया, एसणासमिया, आयाणभंङमत्तणिक्खेवणासमिया, उच्चार-पासवण-खेलसिंघाण-जल्ल-पारिद्धावणियासमिया, मणगुत्ता, वयगुत्ता, कायगुत्ता, ગુત્તા, જિંલિયા, ગુર્જમારી, મન, વિવા, મોહ, અનાપા, મમાયા, ગોમા, संता, पसंता, उवसंता, परिणिव्वुया, अणासवा, अग्गंधा छिण्णग्गंथा, छिण्णसोया, णिरुवलेवा। ___ कंसपाईव मुक्कतोया, संख इव णिरंगणा, जीवो विव अप्पडिहयगई, जच्चकणगं पिव जायरूवा, आदरिसफलगा इव पागडभावा, कुम्मो इव गुतिदिया, पुक्खरपत्तं व णिरुवलेवा, गगणमिव णिरालंबणा, अणिलो इव णिरालया, चंदो इव सोमलेसा, सूरो