Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 170
________________ શ્રી ઉવવાઈ સૂત્ર सरिसवविगइए । ते णं मणुया अप्पिच्छाओ तं चैव सव्वं णवरं चउरासीइं वाससहस्साई ठिई पण्णत्ता । ૧૧૮ ભાવાર્થ:- ગામ યાવત્ સન્નિવેશ આદિ સ્થાનોમાં જે મનુષ્ય હોય છે, તેમાંથી જે એક ખાદ્ય પદાર્થ તથા બીજું પાણી, આ રીતે બે પદાર્થો જ આહારરૂપે સેવન કરનારા હોય; બે ખાદ્ય પદાર્થ અને ત્રીજું પાણી, આ રીતે ત્રણ દ્રવ્યનું સેવન કરનારા હોય; આ જ રીતે સાત દ્રવ્યોનું સેવન કરનારા, અગિયાર દ્રવ્યોનું સેવન કરનારા, ગૌ—વૃષભને આગળ રાખીને, લોકોને તેની ક્રીડા બતાવીને આજીવિકા ચલાવનારા; ગોત્રતીકોગાયના ભોજન-પાણીના સમયે ભોજન કરવાનું વ્રત ધારણ કરનારા, ગૃહસ્થ ધર્મને કલ્યાણકારી માનીને ગૃહસ્થ ધર્મનું જ પાલન કરનારા; ધર્મશાસ્ત્રોનું ચિંતન કરનારા; અવિરુદ્ધ−દેવાદિની ભક્તિ કરનારા, વિનયવાદી અને આત્માના અસ્તિત્વને ન સ્વીકારનારા અક્રિયાવાદી; વૃદ્ઘ શ્રાવકો વગેરે મનુષ્યોને દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ અને માંસ; આ નવ રસ વિકૃતિઓ− વિગઈનો આહાર કરવો કલ્પતો નથી અર્થાત્ તેનો ત્યાગ કરે છે. તેવો આહાર પોતાને માટે અગ્રાહ્ય માને છે; જેઓ એક સરસવના તેલ સિવાય બીજા કોઈ પણ વિગયનું સેવન કરતા નથી, જેની આંકાક્ષાઓ બહુ અલ્પ હોય, તેવા મનુષ્યો મૃત્યુના સમયે મૃત્યુ પામીને વાણવ્યંતર દેવપણાને પામે છે. ત્યાં તેનું આયુષ્ય ૮૪૦૦૦ વર્ષનું કહ્યું છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થનારા જીવોનું પાંચ સૂત્રાલાપક દ્વારા નિરૂપણ કર્યું છે. ગામતા,.. :- અનિચ્છાએ ભૂખ, તરસ, આદિ સહન કરનારા. સંકુલ ī... :- અન્ય દ્વારા અપાતા વધ, બંધનાદિના ઘોર કષ્ટોને અક્લિષ્ટ ભાવે સહન કરનારા અને રૌદ્રધ્યાન વિના વલયમરણ આદિ કોઈપણ પ્રકારના બાલમરણથી મરનારા. પદ્મના... :- પ્રકૃતિથી જ ભદ્ર અને શાંત મનુષ્યો. અંતેરિયાઓ... - પરિસ્થિતિવશ અનિચ્છાએ બ્રહ્મચર્યનું પાલન કરનારી સ્ત્રીઓ. વાવિયા... :- ઉદક દ્વિતીય આદિ અજ્ઞાન તપનું આચરણ કરનારા. દેવગતિમાં ઉત્પન્ન થવાના મુખ્યતયા ચાર કારણો છે– (૧) સરાગસંયમ- સંજવલન કષાય યુક્ત સાધુપણાના પાલનથી અર્થાત્ છઠ્ઠાથી દશમા ગુણસ્થાનવર્તી સાધુઓના સંયમ પાલનથી (૨) સંઘમાસંયમ- શ્રાવકપણાના પાલનથી (૩) અકામનિર્જરા મોક્ષના લક્ષ્ય વિના કષ્ટ સહન કરવાથી થતી નિર્જરાથી (૪) અજ્ઞાનતપ- સમજણ વિના અથવા ગેરસમજણથી કરેલી તપસ્યાથી. સૂત્રોક્ત સર્વ પ્રકારના જીવો અકામનિર્જરા અને અજ્ઞાનતપના આચરણથી વ્યંતર દેવપણે જન્મ ધારણ કરે છે. કોઈ પણ જીવ અસંકલિષ્ટ પરિણામમાં મૃત્યુ પામે, તો જ દેવગતિમાં જાય છે, સંક્લિષ્ટ પરિણામમાં મૃત્યુ પામે તો દેવગતિ પ્રાપ્ત થતી નથી. તેથી જ સૂત્રકારે અસિંિલક પરિણામ શબ્દનો પ્રયોગ કર્યો છે. તે જીવોના પરિણામોમાં મંદતા, તીવ્રતા આદિ તરતમતા હોવાથી તેમના આયુષ્યમાં તરતમતા છે. આરાધક-વિરાધક ઃ- મોક્ષના લક્ષ્ય સમ્યક સાધના-આરાધના કરનારા પરલોકના આરાધક થાય છે અને મોક્ષના લક્ષ્ય વિના પ્રસ્તુત સૂત્રોમાં કથિત કષ્ટાનુભૂતિથી દેવગતિ પામનારા પરલોકના આરાધક

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237