Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિભાગ–૨: ઉપપાત
[ ૧૭૩ ]
પ્રત્યેક સિદ્ધ પોતાના સમસ્ત આત્મ પ્રદેશો દ્વારા અનંત સિદ્ધોને પૂર્ણરૂપે સ્પર્શ કરીને રહ્યા છે. અર્થાતુ એક સિદ્ધની અવગાહનામાં અનંત સિદ્ધોની અવગાહના છે. એકમાં અનંત અવગાઢ થઈ જાય છે અને તેનાથી પણ અસંખ્યાતગુણા સિદ્ધો એવા હોય છે કે જે દેશ અને પ્રદેશથી એક બીજામાં અગવાઢ હોય છે./૧oll વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સિદ્ધોની સ્પર્શનાનું કથન છે.
એક સિદ્ધ ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અરૂપી એકજીવ દ્રવ્ય છે. તે જ રીતે અનંત સિદ્ધો શુદ્ધ અરૂપી અનંત જીવ દ્રવ્ય છે. તે અરૂપી હોવાથી પરસ્પર બાધક બનતા નથી. જે રીતે એક જ આકાશપ્રદેશ પર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનો એક પ્રદેશ હોય છે જીવાસ્તિકાયના અનંત પ્રદેશો હોય છે. તે અરૂપી હોવાથી પરસ્પરાવગાઢ હોય છે પરંતુ બાધક બનતા નથી. તે જ રીતે એક સિદ્ધ હોય, ત્યાં અનંત સિદ્ધો રહી શકે છે.
તેમાંથી અનંત સિદ્ધ તો એવા હોય છે કે જે સંપૂર્ણ રીતે એક બીજામાં સમાયેલા છે અને તેનાથી પણ અસંખ્યાતગુણા એવા સિદ્ધ છે જે દેશ, પ્રદેશથી– કેટલાક અંશોમાં એક બીજામાં સમાયેલા હોય છે. આ રીતે રહેવામાં અમૂર્ત હોવાને કારણે કોઈ પ્રકારની બાધા ઉત્પન્ન થતી નથી. સિદ્ધાવસ્થા: લક્ષણ-ગુણ:| ९२ असरीरा जीवघणा, उवउत्ता दंसणे य णाणे य ।
सागारमणागारं, लक्खणमेयं तु सिद्धाणं ॥११॥ केवलणाणुवउत्ता, जाणंती सव्वभावगुणभावे ।
पासंति सव्वओ खलु, केवलदिट्ठीहिणंताहिं ॥१२॥ ભાવાર્થ – સિદ્ધ ભગવંત શરીર રહિત સઘન આત્મપ્રદેશોથી યુક્ત હોય છે કેવળજ્ઞાન અને કેવળ દર્શનમાં ઉપયુક્ત હોય છે. તે કેવળજ્ઞાનની અપેક્ષાએ સાકારોપયોગી અને કેવળદર્શનની અપેક્ષાએ અનાકારોપયોગી છે; આ સિદ્ધોનું લક્ષણ છે./૧૧/l.
સિદ્ધ ભગવાન કેવળ જ્ઞાનોપયોગ દ્વારા બધા પદાર્થોના ગુણ અને પર્યાયોને જાણે છે તથા અનંત કેવળ દર્શન દ્વારા સમસ્ત ભાવોને દેખે છે.૧રો વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સિદ્ધોના સ્વરૂપનું નિરૂપણ છે. સિલોન સ્વરૂ૫ - કર્મોથી સર્વથા મુક્ત, શુદ્ધ ચૈતન્યઘન(અંતિમ શરીર અવગાહનાની અપેક્ષા ઘનીભૂત), કેવળજ્ઞાન-દર્શનયુક્ત, અનંત સુખ સંપન્ન, શાશ્વતકાલ પર્યત સિદ્ધક્ષેત્રમાં પ્રતિષ્ઠિત થયેલા આત્માને સિદ્ધ કહે છે. ગાથામાં પ્રદર્શિત સિદ્ધોના સ્વરૂપદર્શક વિશેષણો દ્વારા સિદ્ધોનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે અને સિદ્ધો સંબંધી અન્ય દાર્શનિકોની કેટલીક માન્યતાઓનું ખંડન થઈ જાય છે.