Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૭૦]
શ્રી વિવાઈસૂત્ર
એક યોજનનું પરિમાણ ઉત્સધાંગુલથી છે, તેમ સમજવું જોઈએ. ચાર ગતિના જીવોની અવગાહના ઉત્સઘાંગુલથી મપાય છે. ઉત્સધાંગુલની અપેક્ષાએ ૫૦૦ ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તે ૫૦૦ ધનુષ્યવાળા મનુષ્યની સિદ્ધ અવસ્થામાં અવગાહના બે તૃતીયાંશ અર્થાત્ ૩૩૩ ધનુષ્ય અને ઉર અંગુલ હોય છે. સૂત્રોક્ત કથનાનુસાર તે સિદ્ધક્ષેત્ર એક ગાઉના છઠ્ઠા ભાગ પ્રમાણ છે. તેથી તે ગાઉ અને યોજન પણ ઉલ્લેધાંગુલથી છે, તેમ સ્પષ્ટ થાય છે. તે ગાઉ અને તેના છઠ્ઠા ભાગનું ગણિત આ પ્રમાણે છે– ૨૪ અંગુલ = એક હાથ, ચાર હાથ એટલે ૯૬ અંગુલ = એક ધનુષ અને બે હજાર ધનુષનો એક ગાઉ થાય છે. એક ગાઉનો છઠ્ઠો ભાગ અર્થાત્ ૨૦૦૦ ધનુષનો છઠ્ઠો ભાગ કરતાં ૨000 + ૬ = ૩૩૩ ધનુષ અને ૩ર અંગુલ થાય છે. આ રીતે સિદ્ધ ક્ષેત્રનું અને સિદ્ધ આત્માની અવગાહનાનું માપ ઉત્સધાંગુલથી છે, તેમ સ્પષ્ટ થઈ જાય છે. સિદ્ધોની ગતિઃ८९ कहिं पडिहया सिद्धा, कहिं सिद्धा पइट्ठिया ।
कहिं बोंदि चइत्ताणं, कत्थ गंतूण सिज्झइ ॥१॥ अलोगे पडिहया सिद्धा, लोयग्गे य पइट्रिया ।
इह बोदि चइत्ताणं, तत्थ गंतूण सिज्झइ ॥२॥ ભાવાર્થ:- સિદ્ધ પુરુષો કયા સ્થાન ઉપર પ્રતિહત થાય છે, અટકે છે? તે ક્યાં પ્રતિષ્ઠિત- સ્થિત થાય છે? દેહનો ત્યાગ કરીને કયા ક્ષેત્રમાં ક્યાં જઈને સિદ્ધ થાય છે?
સિદ્ધપુરુષો અલોકમાં પ્રતિહત થાય છે એટલે અલોકમાં જતાં અટકે છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત થાય છે. આ મર્યલોકમાં જ દેહત્યાગ કરીને સિદ્ધ ક્ષેત્રમાં જઈને સિદ્ધ થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં સિદ્ધ થયેલા જીવોની ગતિ આદિ સંબંધિત ચાર પ્રશ્નોત્તર છે–(૧) સિદ્ધના જીવોની ગતિ ક્યાં સુધી થાય છે? તેમની ગતિ ક્યાં અટકે છે? (૨) સિદ્ધના જીવો ક્યાં સ્થિર થાય છે ? (૩) ક્યાં શરીરને છોડે છે? (૪) ક્યાં જઈને સિદ્ધ થાય છે? અનોપડિયા સિદ્ધા:- જીવની ગતિ ધર્માસ્તિકાય દ્રવ્યની સહાયતાથી જ થાય છે. સિદ્ધ થયેલા જીવ સ્વાભાવિક રીતે ઊર્ધ્વગમન કરીને લોકાંત સુધી પહોંચી જાય છે. ત્યાર પછી અલોકમાં ધર્માસ્તિકાય દ્રવ્યનો અભાવ હોવાથી ત્યાં જીવની ગતિ થતી નથી. તેથી અલોકથી સિદ્ધની ગતિ પ્રતિહત થાય છે. તે જીવ લોકાંતે જ અટકી જાય છે. તોયને પકિલા - લોકના અગ્રભાગ પર સિદ્ધક્ષેત્રમાં જ સિદ્ધ જીવો શાશ્વતકાલ પર્યત સ્થિત થઈ જાય છે. તે સ્થાન પરથી જીવની અધોગતિ કે તિર્યગુગતિ કદાપિ થતી નથી. કારણ કે અધોગમન કે તિર્યગ્નમન કર્મજન્ય છે. સર્વ કર્મોનો આત્યંતિક નાશ થયા પછી જ જીવ સિદ્ધ થાય છે. ત્યાર પછી કર્મજન્ય કોઈ પણ પ્રકારની ગતિની સંભાવના નથી. કુદ ૯ નકાળ :- જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે સર્વ કર્મો અને કર્મજન્ય સર્વ ભાવોને અહીં જ છોડી