Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 129
________________ | વિભાગ-૧: સમવસરણ જળ ભરેલું છે, તે મહાભયાનક છે. અપરિમિત ઇચ્છાઓથી કલુષિત થયેલી મનુષ્યોની જે બુદ્ધિ છે, તે જાણે વાયુના વેગથી ઉડતા જલકણો છે અને તેનાથી તે સાગર અંધકારમય બની ગયો છે, અપ્રાપ્ત પદાર્થોને પ્રાપ્ત કરવાની આશા અને ધનાદિની તીવ્ર લાલસા રૂપ પ્રચુર ફીણથી તે ધવલ લાગે છે, મોહરૂપ મહા આવર્તમાં ભોગરૂપી વમળો ઊઠે છે. તેનું જલ વેગપૂર્વક ઉછળે છે, ઉછળીને નીચે પડે છે, તેમાં પ્રમાદરૂપી અત્યંત ક્રોધી અને દુષ્ટ સ્વભાવવાળા હિંસક જીવો છે. તે હિંસકજીવો દ્વારા આઘાત પામીને સંસારી જીવોનો સમૂહ ચારેબાજુ નાસભાગ કરે છે અને તેના ભયંકર આક્રંદના મહાભીષણ પડઘાઓ ચારે બાજુ સંભળાય છે. - તેમાં અજ્ઞાનરૂપી મત્સ્ય અને પરિહસ્ત-જલજંતુ વિશેષ, ચારે બાજુ ફરી રહ્યા છે; અનુપશાંત ઇન્દ્રિયોરૂપી વિકરાળ મગરોની ચંચળ ચેષ્ટાઓથી તે જલસમૂહ ખળભળી રહ્યો છે; અત્યંત ઉછળતો તે જળ સમૂહ જાણે નૃત્ય કરતો હોય, વીજળી વેગે ચક્રની જેમ ફરી રહ્યો હોય તેવું લાગે છે. અરતિ, ભય, વિષાદ, શોક, મિથ્યાત્વ રૂપ પર્વતોથી આ સંસાર સમુદ્ર અત્યંત વિકટ બની ગયો છે. અનાદિકાલીન પરંપરાથી બંધાઈ રહેલા કર્મબંધનો અને તજ્જન્ય રાગાદિ પરિણામ રૂપ ચીકણા કાદવથી તે દુસ્તર બની ગયો છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિ, તે ચાર ગતિમાં જીવનું જે પરિભ્રમણ છે, તે તેના વક્ર અને પરિવર્ધિત, વિશાળ વેલા-કિનારા છે. તે ચાર ગતિ રૂપ ચાર દિશાઓના ચાર વિભાગમાં વિભક્ત છે. તે સંસાર સાગર વિશાળ, પાર પામી ન શકાય તેવો અને વિકરાળ છે. જેને જોતાં જ ભય ઉત્પન્ન થાય તેવો છે. તે સંસાર સમુદ્રને સંયમરૂપ નાવથી જ પાર પામી શકાય છે, તરી શકાય છે. તે નાવ ધૈર્યરૂપ દોરડાના બંધનથી સુદઢપણે બાંધેલી હોવાથી નિપ્રકંપ છે, તેની ગતિ અત્યંત વેગવાળી છે. તેની મધ્યમાં સંવર અને વૈરાગ્ય ભાવરૂપ એક ઊંચો કૂપકતંભ રાખેલો છે. તે સ્તંભ ઉપર જ્ઞાનરૂપી શ્વેત, નિર્મળ સઢ તાણેલો છે. વિશુદ્ધ સમ્યકત્વ રૂપ તેના નિર્ધામક–સુકાની છે. અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનાર ધીર સાધકો પ્રશસ્ત ધ્યાન અને તપ રૂ૫ વાયુથી પ્રેરિત થતી તે સંયમ રૂપ નાવને આગળ વધારે છે. તેમાં પ્રમાદના પરિત્યાગ રૂપ ઉધમ અને મોક્ષપ્રાપ્તિના દઢ નિશ્ચય રૂપ વ્યવસાયનું મૂલ્ય ચૂકવીને ખરીદેલી નિર્જરાના ઉપાયભૂત યતના, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિશુદ્ધ મહાવ્રતો રૂપ ભાંડ વગેરે વસ્તુઓ ભરેલી છે. તે નાવ જિનેશ્વરોના ઉપદિષ્ટ માર્ગે– સંયમ માર્ગે સરળતાપૂર્વક આગળ વધતી સિદ્ધગતિરૂપ મહાન બંદરની સન્મુખ જઈ રહી છે, શ્રેષ્ઠ શ્રમણો રૂપ સાર્થવાહો છે. ભગવાન મહાવીરના તે શ્રમણો વિશિષ્ટ શુદ્ધિસંપન્ન, સુમધુભાષી, કોઈ પણ પ્રશ્નોના યથોચિત શ્રેષ્ઠ ઉત્તર આપનારા, એક માત્ર મોક્ષની જ આશા-ઇચ્છા રાખનારા હતા. તેઓ ગામમાં એક રાત્રિ એટલે એક અઠવાડિયા સુધી અને નગરમાં પાંચ રાત્રિ એટલે ૨૯ દિવસ પર્યત નિવાસ કરતા હતા. તેઓ જિતેન્દ્રિય હતા, તેઓ ભય મોહનીય કર્મના ઉદયનો નિરોધ કરતા હોવાથી નિર્ભય અને ઉદયમાં આવેલા ભય મોહનીયને નિષ્ફળ બનાવતા હોવાથી ભયરહિત હતા; સચેત, અચેત અને મિશ્ર દ્રવ્યોમાં વૈરાગ્યવાન હતા, તે સંચય- સંગ્રહ વૃત્તિથી નિવૃત્ત હતા. લોભ રહિત હોવાથી મુક્ત, સ્વલ્પ ઉપધિના ધારક હોવાથી લાઘવ સંપન્ન, ઈહલોક અને પરલોકના સુખની અભિલાષાથી રહિત, મોક્ષ સાધક, જાતિ આદિ મદથી રહિત હોવાથી નિભૂત-વિનીત, શ્રુત અને ચારિત્રધર્મની આરાધના કરી રહ્યા હતા. અસુરકુમાર દેવો દ્વારા ભગવાનની પર્થપાસના :७९ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे असुरकुमारा देवा अंतियं पाउब्भवित्था-कालमहाणील-सरिसणीलगुलियगवल- अयसि कुसुमप्पगासा, આપનારા, એક મારમાં પાંચરાત્રિ એટલે કે કોવાથી નિર્ભય અને

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237