Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
| વિભાગ-૧: સમવસરણ
कल्लाणग-पवस्मज्जणावसाणे;
पम्हलसुकुमालगंधकासाइयलूहियंगे, सरससुरहिगोसीस चंदणाणुलित्तगत्ते, अहय सुमहग्घदूसरयणसुसंवुए, सुइमाला-वण्णगविलेवणे य आविद्धमणिसुवण्णे, कप्पियहारद्ध हासतिसरयपालंबपलब माण कडिसुत्तसुणयसोभे, पिणद्धगेवेज्जगअंगुलिज्जगललियंगय ललियकयाभरणे, वरकडग-तुडियर्थभियभुए, अहियरूवसस्सिरीए, मुद्दियपिंगलंगुलीए कुंडलउज्जोवियाणणे मउडदित्तसिरए, हारोत्थयसुकवरइयवच्छे, पालबपलबमाणपङसुकय उत्तरिज्जे, णाणा-मणिकणगरयणविमल महरिह णिउणोविय मिसिमिसंतविरइयसुसिलिट्ठ विसिट्ठलट्ठ-आविद्धवीरवलए किं बहुणा, कप्परुक्खए चेव अलंकियविभूसिए परवई सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं, चउचामरवालवीइयगे, मंगलजयसद्द कयालोए, मज्जण घराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता अणेगगणणायग-दंडणायगराईसस्तलवरमाडंबियकोडुबियइब्भसेट्ठिसेणावइसत्थवाहदूरसंधिवालसद्धिंसंपरिखुडेधवलमहामेहणिग्गए इव गहगणदिपंतरिक्ख-तारागणाण मज्झे ससिव्व पियदसणे णरवई जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव आभिसेक्के हत्थिरयणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अंजणगिरिकूडसण्णिभं गयवई णरवई दुरुढे । ભાવાર્થ:- ત્યાર પછી ભંભસારના પુત્ર કોણિક રાજાએ સેનાપતિ પાસેથી આ પ્રમાણે સાંભળ્યું ત્યારે તે પ્રસન્ન અને સંતોષ પામ્યા. તેમણે વ્યાયામશાળામાં જઈને અનેક પ્રકારનો વ્યાયામ કર્યો. જેમ કે કૂદવું, અંગોને મરડવાં, કુસ્તી કરવી, વ્યાયામના ઉપકરણ–મુદગર આદિ સાધનો ફેરવવા ઇત્યાદિ ક્રિયાઓથી પોતે ખૂબ થાકી ગયા, વિશેષરૂપે થાકી ગયા. ત્યાર પછી તેમણે રસવર્ધક, રુધિરવર્ધક, બળવર્ધક, કામવર્ધક, માંસવર્ધક, સમસ્ત ઇન્દ્રિયો અને શરીરને આનંદપ્રદાયક શતપાક અને સહસંપાક તેલથી તથા અન્ય માલિશ યોગ્ય દ્રવ્યોથી શરીરને માલિશ કરાવ્યું.
તેલચર્મ જેના ઉપર બેસીને મર્દન કરાય તેવા ચામડાના આસન વિશેષ પર સ્થિત થયેલા, સુકોમળ હાથ-પગવાળા, મર્દનકળામાં નિપુણ, દક્ષ, પોતાના વ્યવસાયમાં સુશિક્ષિત, કુશળ, બુદ્ધિમાન-મર્દન-કળામાં નવા-નવા આવિષ્કાર કરવામાં સમર્થ, મર્દનવિધિની સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્રિયાઓમાં નિપુણ, તેલ આદિથી કરાતું મર્દન, તેલ આદિને અંદર સુધી પહોંચાડવા માટે કરાતું પરિમર્દન-વિશેષ મર્દન અને શરીર સ્વાથ્ય, કાંતિ, પુષ્ટિ, ર્તિ આદિ ગુણોને પ્રગટ કરતું નીચેથી ઉપરની તરફ કરાતું મર્દન, તે સર્વ પ્રકારે માલિશ કરવામાં કુશળ પુરુષો દ્વારા રાજાએ હાડકાને, માંસને, ત્વચાને અને રોમરાજિને સુખદાયક એવું ચારે પ્રકારનું માલિશ કરાવ્યું. આ રીતે વ્યાયામજનિત પરિશ્રમ દૂર કરીને રાજા વ્યાયામશાળામાંથી બહાર નીકળ્યા, નીકળીને સ્નાનઘરમાં પ્રવેશ કર્યો.
તે સ્નાનઘર મોતીઓની સરોથી સજાવેલા ઝરુખાઓથી યુક્ત, અતિ સુંદર હતું; તેનું ભૂમિતલ વિવિધ પ્રકારના મણિરત્નોથી જડિત હતું. તેમાં રમણીય સ્નાનમંડપમાં કલાત્મક રીતે જડેલા મણિરત્નોથી સુશોભિત સ્નાનપીઠ–બાજોઠ ઉપર સુખપૂર્વક બેસીને ન અતિ ગરમ, ન અતિ ઠંડા તેવા સુખપ્રદ જલથી, ચંદનમિશ્રિત સુગંધી જળથી, પુષ્પમિશ્રિત જલથી અને શુદ્ધ નિર્મળ જળથી કલ્યાણકારી શ્રેષ્ઠ વિધિથી
Loading... Page Navigation 1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237