Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિભાગ-૧: સમવસરણ
પ્રાયશ્ચિત્ત
૧૦ ગુણ, પ્રાયશ્ચિત્ત લેનારના
૧૦ ગુણ, આલોચનાના—
૧૦દોષ,
દોષસેવનના
૧૦ કારણ
કુલ ૫૦ ભેદ
વિનય
|૬ કાય વિનય [૨]
પ્રશસ્ત કાય વિનય (૭) અપ્રશસ્તકાય વિનય (૭)
૭ લોકોપચાર વિનય[૧]
વૈયાવૃત્ય સ્વાધ્યાય
કરવી
મુળભેદ-૭, ઉત્તરભેદ-૧૯, ૧૦ ભેદ
પ્રભેદ-૧૦૯
૫ ભેદ
ધ્યાન
શુક્લધ્યાન–૧૬
૪ ભેદ
૪ લક્ષણ
૪ આલંબન
૪ અનુપ્રેક્ષા
૪ ભેદ
૪૮ પ્રભેદ
૭૫
વ્યુત્સર્ગ
મુળભેદ-૨ |ઉત્તરભેદ-૭ પ્રભેદ-૨૦
નોંધ : વિનયના ભેદમાં ડાર્ક સંખ્યા(૭-૧૯)ભેદ- ઉત્તરભેદ રૂપ છે, લાઈટ સંખ્યા(૧૦૯)પ્રભેદરૂપ છે.
અણગારોની સ્વાધ્યાય સાધના :
७७ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अणगारा भगवंतो अप्पेगइया आयारधरा, सूयगडधरा, ठाणधरा, समवायधरा, वियाहपण्णत्तिधरा, णायधम्म कहाधरा, उवासगदसाधरा, अंतगडदसाधरा, अणुत्तरोववाइयदसाधरा, पण्हवागरणधरा, विवागसुयधरा । तत्थ तत्थ तहिं तहिं देसे देसे गच्छागच्छ गुम्मागुम्मि फड्डाफड्डि; अप्पेगइया वायंति, अप्पेगइया पडिपुच्छंति, अप्पेगइया परियट्टंति, अप्पेगइया अणुप्पेहंति, अप्पेगइया अक्खेवणीओ, विक्खेवणीओ, संवेयणीओ, णिव्वेयणीओ बहुविहाओ कहाओ कहंति, अप्पेगइया उडुंजाणू अहोसिरा, झाणकोट्ठोवगया संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरंति ।
ભાવાર્થ :- તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીમાં પધાર્યા ત્યારે તેમની સાથે તેમના અનેક અંતેવાસી શ્રમણો હતા. તેમાંથી કેટલાક શ્રમણો આચારાંગસૂત્ર, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડ, અનુત્તરૌપપાતિક, પ્રશ્નવ્યાકરણ તથા વિપાક સૂત્રના ધારક હતા.
તે શ્રમણો તે તે ઉદ્યાનના જુદા જુદા વિભાગમાં બેઠા હતા. કેટલાક સાધુઓ એક એક ગચ્છમાં– વિશાળ સમૂહમાં વિભક્ત થઈને, કેટલાક સાધુઓ નાના-નાના ઝુંડમાં વિભક્ત થઈને, કેટલાક છૂટા છવાયા– બે-ત્રણ સાધુઓના સમૂહમાં વિભક્ત થઈને બિરાજમાન હતા. તેમાંથી કેટલાક આગમોની વાચના આપતા હતા. તો કેટલાક શંકાનું સમાધાન કરવા પ્રશ્ન પૂછતા હતા. કેટલાક પોતે ભણેલા પાઠોનું પુનરાવર્તન કરતા હતા. કેટલાક અનુપ્રેક્ષા—ચિંતન, મનન કરતા હતા. કેટલાક શ્રમણો જીવને મોક્ષમાર્ગની સન્મુખ કરે તેવી આક્ષેપણી કથા, કેટલાક સંસારમાર્ગથી વિમુખ કરે તેવી વિક્ષેપણી કથા, કેટલાક મોક્ષ માટે તીવ્ર અભિલાષા જાગૃત કરે તેવી સંવેદની કથા, કેટલાક વિષયોથી વિરક્ત કરે તેવી નિર્વેદની કથા કરતા હતા. આ રીતે તે શ્રમણો વિવિધ પ્રકારની ધર્મકથાઓ કરતા હતા. તેમાંથી કેટલાક પોતાના બંને ઘૂંટણોને ઊંચા રાખીને, મસ્તક