________________
૧૮૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર - અહીં સુધી આપણે જોઈ ગયા કે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયોમાં નૈગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયને સ્વીકારે છે. સંગ્રહનય કેવળ સામાન્યને સ્વીકારે છે. વ્યવહારનય કેવળ વિશેષને સ્વીકારે છે. સંગ્રહ અને વ્યવહારનય પરસ્પર સાપેક્ષ છે. આથી એક જ વિચાર સંગ્રહનયનો પણ હોય અને વ્યવહારનયનો પણ હોય. જેમકે, “આ નગરમાં મનુષ્યો રહે છે.' આ વિચાર સંગ્રહનયનો પણ છે અને વ્યવહારનયનો પણ છે. નગરમાં મનુષ્ય ઉપરાંત પશુઓ પણ રહે છે. આથી પશુ અને મનુષ્ય એ બંને જીવ છે. જીવની દૃષ્ટિએ મનુષ્ય વિશેષ છે. આથી જીવની દૃષ્ટિએ “આ નગરમાં મનુષ્યો રહે છે' એ વિચાર વ્યવહારનયથી છે. મનુષ્યોમાં સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ વગેરે હોય છે. મનુષ્યના સ્ત્રી, પુરુષ આદિ વિશેષ ભેદોની અપેક્ષાએ “આ નગરમાં મનુષ્યો રહે છે.” એ વિચાર સંગ્રહનયનો કહેવાય છે. આ પ્રમાણે એક જ વિચાર સંગ્રહનયનો પણ કહેવાય અને વ્યવહારનયનો પણ કહેવાય.
આથી તાત્પર્ય એ આવ્યું કે – જેટલા અંશે સામાન્ય તરફ દૃષ્ટિ તેટલા અંશે સંગ્રહનય અને જેટલા અંશે વિશેષ તરફ દૃષ્ટિ તેટલા અંશે વ્યવહારનય.
૪. ઋજુસૂત્રનય :- જે નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે ઋજુસૂત્રનય. આ નય વસ્તુના વર્તમાન પર્યાયને જ માન્ય રાખે છે. અતીત અને અનાગત પર્યાયોને તે માન્ય રાખતો નથી.
આ નય વર્તમાનમાં જે શેઠાઈ ભોગવતો હોય તેને જ શેઠ કહે છે, જ્યારે વ્યવહારનય વર્તમાનમાં તે શેઠાઈ ન ભોગવતો હોય, પણ ભૂતકાળમાં તેણે શેઠાઈ ભોગવી હતી, એ દૃષ્ટિએ તેને વર્તમાનમાં પણ શેઠ કહેશે.
ઋજુસુત્રનય જે વર્તમાનમાં રાજ્યનો માલિક હોય તેને જ રાજા કહે છે. જ્યારે વ્યવહારનય જે ભવિષ્યમાં રાજ્યનો માલિક બનવાનો છે તેને પણ રાજા કહે છે. આ પ્રમાણે વ્યવહારનયની અપેક્ષાએ ઋજુસૂત્રનય સૂક્ષ્મ
૫. સાંપ્રત-શબ્દનય :- આપણે સમજવું હોય કે અન્યને સમજાવવું હોય તો શબ્દોની જરૂર પડે છે. શબ્દો વિના વ્યવહાર ન ચાલે. શબ્દોથી થતા અર્થના બોધમાં શબ્દનયની પ્રધાનતા છે. શબ્દનય એટલે શબ્દને આશ્રયીને થતી અર્થવિચારણા. શબ્દનય લિંગ, કાળ, વચન વગેરેના ભેદથી અર્થભેદ માને છે. અર્થાત ભિન્ન ભિન્ન શબ્દ, લિંગ આદિનો અર્થ પણ ભિન્ન ભિન્ન સ્વીકારે છે
• લિંગભેદ :- નર, નારી, કાળો, કાળી, કાળું, પ્યાલો, પ્યાલી, ઘડો ઘડી, ચોપડો, ચોપડી વગેરે જુદા જુદા લિંગના જુદા જુદા અર્થો છે.
• કાળભેદ :- હતો, છે, હશે, રમ્યો, રમે છે, રમશે વગેરે જુદા જુદા કાળના જુદા જુદા અર્થો છે. ઇતિહાસ-લેખકને ભૂતકાળના અમદાવાદનું વર્ણન કરવું છે. આથી લેખકના કાળમાં અમદાવાદ હોવા છતાં લેખક “અમદાવાદ હતું' એમ લખે છે. અહીં ભૂતકાળનો પ્રયોગ શબ્દનયની દૃષ્ટિએ છે. શબ્દનય કહે છે કે ભૂતકાળમાં જે અમદાવાદ નગર હતું અને અત્યારે જે છે તે બંને જુદા છે. ઇતિહાસ-લેખકે ભૂતકાળનો જ પ્રયોગ કરવો જોઈએ. • વચનભેદ :- ગાય, ગાયો, માણસ, માણસો વગેરે જુદા જુદા વચનના જુદા જુદા અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org