Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
: : : 12:33: : : : : : : : : : : : : 0 ; ; ; ts to cost t: ts of t: : : : : : : : : : : : : : : :
| લઘુ વિવેચનો પણ ઘણાં જ થયાં છે. શ્વેતાંબર-દિગંબર બન્ને | સમાનપણે એને સ્વીકારે છે. એમાંય દિગંબરોમાં તો એના અભ્યાસનો પ્રચાર ઘણો જ છે. દેરાસરમાં પૂજા કરનાર શ્રાવક પૂજા કરીને બહાર નીકળે પછી તરત પા કલાક અડધો કલાક કે કલાક અચૂક તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ કરે જ એવી પ્રથા છે.
પ્રસ્તુત પદ્યાનુવાદ અને વિવેચન :
પૂજ્ય પાદ શાસ્ત્રવિશારદ આચાર્ય મહારાજશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રથમ પટ્ટધર શાન્તમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજે આ તત્ત્વાર્થ સૂત્ર ઉપર આજથી પપ વર્ષ અગાઉ હરિગીત છન્દમાં સુન્દર | પદ્યાનુવાદની રચના કરી હતી અને તે પુસ્તક ચીમનલાલ | દલસુખભાઈ ગાંધીના વિવેચન સહિત પ્રકાશિત કરવામાં
આવ્યું હતું. - પદ્યાનુવાદક શ્રી પૂજ્ય આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી | મ. શ્રી દ્રવ્યાનુયોગના સારા વિદ્વાન્ હતા. મૂળ બોટાદના : વતની, મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કરી ચાણસ્મા, કોઠ
વગેરે સ્થાનોમાં પાઠશાળામાં અભ્યાસ કરાવી વૈરાગ્યવાસિત થતાં સંયમનો સ્વીકાર કરી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી | વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના શિષ્ય થયા હતા. જીવદળની | યોગ્યતા ઘણી, વળી સરળતા પરગજુ પ્રકૃતિ પણ એવી કે કોઈનું પણ કાર્ય કદી ઠેલવાની વાત નથી. કોઈ અભ્યાસની
રુચિવાળો છે એવી ખબર પડે તો સામે ચાલીને અભ્યાસ | કરાવવા એની પાસે જાય, મોટાઈનું નામ નિશાન જોવા ન મળે. સાવ નાના બાળક જેવી નિર્દોષતા, ગુરુ સમર્પિતભાવના
-
- -
- -
- -
- - -
૧૧