________________
જપજી” તથા “સુખમની પુસ્તકની નકલે ઘણું વર્ષોથી ઉપલબ્ધ રહી ન હતી. પરંતુ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું લંબાતું ગયું તે દરમિયાન શ્રી. મગનભાઈ એવા નિર્ણય ઉપર આવ્યા કે, હવે માત્ર પd અનુવાદ બહાર પાડવાને બદલે મૂળ પાઠ સાથે ગદ્ય અનુવાદ જ બહાર પાડે, એ વધુ ઉપયોગી થશે. તે તૈયાર કરવાનું કામ તેમણે શ્રી ગોપાળદાસ પટેલને સોંપ્યું. તે બધે ઈતિહાસ બે બોલમાં શ્રી ગોપાળદાસ પટેલે નેધ્યો છે. એ પ્રમાણે તૈયાર થયેલ “સુખમની'નું નવું સંસ્કરણ આ સાથે પ્રકાશિત કરવામાં આવે છે. આશા છે કે, ગુજરાતી તથા ગુજરાતમાં સ્થિર થયેલા સિંધી–પંજાબી વાચક વર્ગને તે ઉપયોગી નીવડશે.