Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 256
________________ માંગણવૃત્તિ. માંગણી કરે છે, ત્યારે તેને એક સમયે તે જરૂર કાળ સમાન લાગે છે. આનાં ઉદાહરણની જરૂર નથી. પાલીતાણામાં જનારા યાત્રાળુઓની આગળ જ્યારે જ્યારે પાલીતાણાની સંસ્થાઓના ફેરીઆઓ હાથમાં નોટીસ અને બગલમાં ટીપને ચેપડે કે રસીદ બુક લઈને જાય, ત્યારે એ યાત્રાળુઓ કેવી નજરથી એ માંગણુયાઓની રહામે જુએ છે-જેતા, એનું દશ્ય જેમણે જોયું હશે, તેમને સમજાયું હશે કે માંગણવૃત્તિ કેટલી અધમવૃત્તિ છે. આવી જ રીતે કઇ કઇ સંસ્થાઓ તરફથી ફરતા ફેરિયાઓ હાનાં હેટા ગામમાં ઉઘરાણું કરવા ફરે છે, તેઓને એક ગામમાંથી સો પચાસ રૂપિયા મેળવતાં કેટલો પસીનો ઉતારવો પડે છે, એ એજ બિચારા જાણતા હશે. આ તે એક સાધારણ સ્થિતિના વિસ વીસ કે પચીસ પચીસના નેકરે કે જેઓને ધંધેજ ભાટ ચારણોની માફક ગૃહસ્થોની વાહ વાહ ગાઇને પૈસા કઢાવવાને હોય છે, તેમની વાત થઈ, પરંતુ મુંબઈ અને કલકત્તા જેવા શહેરમાં, કઈ હાના મહેટા ગામના પ્રતિષ્ઠિત ગૃહસ્થોને દેરાસર કે ઉપાશ્રયને માટે ટીપ કરવા જવું પડે છે અને ત્યાંના, લક્ષ્મીના મદમાં મસ્ત બનેલા, ગૃહસ્થના માળામાં કે દુકાને ઉપર જે ટલ્લા ખાવા પડે છે, તેમજ એ કહેવાતા શેઠિયાઓના જે તિરસ્કાર–અપમાન સહન કરવાં પડે છે, એ જોતાં કઈ પણ વિચારક એમ બોલી ઉઠયા વિના નહિં રહે કે- આના કરતાં દેરું કે ઉપાશ્રય ન બનાવવું, એ શું ખોટું ? ” પરંતુ શું કરે ? ધર્મને કેફ પણ કંઇ એારજ શક્તિ આપે છે. ધાર્મિક ભાવનાઓથી એ બધું સહન તેઓ કરે છે. પરન્તુ કહેવાનું માત્ર એટલું જ છે કે આ માંગણવૃત્તિ એ એક એવી વૃત્તિ છે કે-જે આપણા આત્માને શક્તિહીન, મુડદાલ, નિરૂત્સાહ અને સ્વાત્માભિમાનથી રહિત બનાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310