Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 297
________________ સમયને ઓળખે. છે. જમણથી હોય છે. જે થી અમારા બચી શકે તેમ છે. જે દુશાલા અને ચાદરના બાહુલ્યથી અમે અમારા ગુરૂઓને પારગ્રહધારી બનાવીએ છીએ, એજ દુશાલા અને ઉત્તમ વસ્ત્રોની ઉપયોગિતાથી જે વધારે રહે. તેથી અમારા ગરીબ ભાઈઓના અંગ ઢાંકી શકાય છે. જે સ્વામિવામાં –એક દિવસના જમણથી હજારે તિલકધારીઓ જમીને ધર્મધ્યાનનું નામ લીધા વિના અનેક પ્રકારના અનર્થો સેવે છે, તેજ સ્વામિવાત્સલ્યનું ખરું પુણ્ય તે આદર્શ સંસ્થાઓમાં રહેલ બાલ બ્રહ્મચારિયેને ઘણા દિવસ સુધી પિછવામાં જ પ્રાપ્ત થઈ શકે છે. સમય પિતાની મેળે ઉપરની વસ્તુસ્થિતિનું ભાન કરાવશે અને તેની સાથે એ પણ સમજાવશે કે-જૈનશાસનની વૃદ્ધિ ઉત્સવ માત્રથી નહિ પણ ઉપદેશકોથી થાય છે; જૈનશાસનની વૃદ્ધિ સંઘે કાઢવા માત્રથી નહિ, પરંતુ સાહિત્યના પ્રચારથી થાય છે, જૈનશાસનની વૃદ્ધિ જાતિ જાતિની અંદર વિખવાદ ઉભા કરી એક બીજાથી અલગ થવામાં નહિ, પરંતુ કઈ પણ દેશ, કોઈ પણ જાતિ કે કોઈ પણ સમાજને માણસજ કેમ ન હોય, પરંતુ તેને અપનાવવામાં તેની શુદ્ધિ કરી સાથે લેવામાં તેની સાથે તમામ પ્રકારનો વ્યવહાર સ્ટે કરવામાં રહેલી છે; જૈનશાસનની વૃદ્ધિ માત્ર પદવી લઈને પત્રોની અંદર લખી બતાવવામાં નહિં, પરંતુ વગર પદવીએ પણ સારાં સારાં કાર્યો કરવામાં રહેલી છે. પોતાની જવાબદારીને સમજવામાં રહેલી છે. જૈનશાસનની વૃદ્ધિ કૂપમંડુકની માફક ચેકસ વિચારોની હદમાં પડી રહેવામાં નહિં, પરતુ જગતના તમામ ધર્મોને અભ્યાસ કરી-દુનિયામાં વિદ્વાનની સાથે વિચારોની આપ લે કરી ઉદારતાની સપાટી ઉપર આવવામાં રહેલી છે. જૈનશાસની વૃદ્ધિ પિતાનાં ચોક્કસ ક્ષેત્રોમાં રહીને માની લીધેલાં ભક્ત-ભક્તા એને રાજી કરવામાં નહિં, પરંતુ તમામ દેશને પિતાનું ક્ષેત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310