Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 288
________________ - - 2 | વિવેક વિનાની ક્રિયાઓ ફેરવી રહ્યા હેય, તે વખતે એક બે માણસો ત્યવંદન કરતાં બરાડા પાડી પાડીને સ્તવન ગાય, એ શું વ્યાજબી કહેવાય? શું આમ સ્તવન માવામાં તે વિવેકને ભૂલી જાય છે, એમ કેઈ પણ માણસ સ્વીકાર્યા વિના રહેશે વારૂ ? વિના તાલ વિના મધુરતા અને વિના રાગના એ બરાડા પેલા સ્થાનિને અને પૂજા કરનારાઓને કેટલા વિનભૂત થતા હશે ! આવી જ રીતે ગુરૂભક્તિ. ગુરૂભક્તિમાં પણ શ્રાવકે ઘણી વખત વિવેકને વિસરી જતા જોવાય છે. દાખલા તરીકે, સાધુ ખરા તડકામાં અગિયાર બાર વાગે આવ્યા હોય, સખ્ત ગરમીને પરિષહ થઈ રહ્યો હોય, તે વખતે ઉપાશ્રયથી લગભગ માઈલ જેટલે દૂર રહેનાર ગૃહસ્થ ગોચરીને માટે વિનતિ, અને વિનતિના સ્થાનમાં આગ્રહ અને આગ્રહથી વધીને હઠ પકડે, તે તે ભક્તિમાં વિવેકની માત્રાની ખામી છે, એમ શું ન કહી શકાય ? ઘણી વખત શ્રાવકેને ચોક્કસ સ્થાનને પણ મેહ એ હોય છે કે જે મેહના કારણે ભક્તિમાં વિવેકને ભૂલી જાય છે. એક ઉપાશ્રય ગમે તેટલું પ્રતિકૂળ હેય, ગંદ હોય, અનુપચગી હોય, અશાન્તિના સ્થાનયુકત હોય, છતાં શ્રાવકે એવા મોહથી સાધુને ત્યાં જ ઉતારશે. એમ કહેવાને અમારા ઉપાશ્રયમાં ઉતાર્યા. એ ઉપાશ્રયમાં ગમે તેટલી અગવડ ઉઠાવવી પડે. બલ્ક ચારિત્રની આરાધનામાં પણ વિન ઉપસ્થિત થતું હોય, એની દરકાર એ મહાનુભાવ ન જ કરે. એમને તે માત્ર એકજ વાત, અને તે એ કે વાહ, ઉપાશ્રયને છોડીને બીજા મુકામમાં કેમ ઉતારી શકાય.” આ પણ અજ્ઞાનતા-અવિવેક નહિ તે બીજું શું ? ઘણું ગામમાં એવો રિવાજ હોય છે કે ગૃહસ્થ રાતના ૯ – ૧૦ વાગે દુકાને ઉપરથી નવરા થઈને સાધુ પાસે આવે અને બાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310