Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 290
________________ વિવેક વિનાની ક્રિયાઓ. તે વખતે અંધભકત ગૃહસ્થ ગુરૂને પ્રાર્થના કરે કે—“ સાહેબ, આપને બહુ પરિશ્રમ કરવો પડે છે. આપનું માથું કમજોર થઈ જશે. આપ લેચ આ વખતે ન કરે. હું હજામને લઈ આવું છું. જરા ઉપયોગ થઈ જશે.” ગુરૂ જરા બતાવવાની ખાતર “હા” “ના” કાની કરે, તો શ્રાવક કહેશે કે “ સાહેબ ! આપ જાણો જ છો કે સૂત્રમાં ત્રણ આશા છે. બસ, ગુરૂદેવનું મન ઢીલું થયું, શ્રાવકે નિષિદ્ધમનુમતિ ના ન્યાયનું અવલંબન કર્યું જ છે. હજામ આવ્યો જ છે. ગુરૂજીનું માથું મૂડાયું જ છે અને શ્રાવકોને બતાવવા ઉપરથી કપડું બંધાયું છે. કહે, શ્રાવકની ભક્તિમાં વિવેકની ખામી ખરી કે નહિ ? શું આનું નામ ભક્તિ છે ? આવી જ રીતે ઘણાક લેકે ભક્તિના આવેશમાં વિના કારણે સાધુઓને મજા અને ગંજીકરાક સુદ્ધાં પણ લેવાની પ્રાર્થના કરે છે. પરતુ તેઓ ભક્તિના આવેશમાં એ વિચાર નથી કરતા કે-આનું પરિણામ ગુરૂજીને માટે શું આવશે? વિના કારણે અપવાદને સેવન કરાવવા, એ શું વિવેક છે ? એ શું ભક્તિ છે ? આપણે ત્યાંની વ્યાવહારિક પદ્ધતિ પણ એવી ઘડાઈ ગઈ છે કે-જેમાંથી વિવેકનું તત્વ એછું થવા પામ્યું છે. ગૃહસ્થને ત્યાં કઈ મેમાન આવે, એટલે આખો દિવસ એને જીવ ખાવાને. મેમાન પણ એવો નવરેજ આવે કે આ દિવસ ગપસપા મારવા, સિવાય બીજું કંઈ કામ ને કાજ ! કાચ કઈ વિદ્વાન કે નવીનતા. યુક્ત મેમાન આવ્યો હોય, તેની પાછળ આ દિવસ ટળેટોળાં, મળેલાં રહેશે. અને એ આગન્તુકને જરા પણ આરામ લેવા, નહિ દે. કહેવાય છે કે યુરોપમાં આથી ઉલટું છે. વિલાયતમાં કઈને. ત્યાં કોઈ મેમાન જાય તે તેને એક શાન્ત ઓરડ આપવામાં ત્યાંની ચાવલાએ શું ભક્તિ કરશે કે જેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310