Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
જૈન તર્કશાસ્ત્રનો મહાન ગ્રંથ
ભારતીય વાડ્મયને પૂર્વના પ્રાશ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે. આગમ, જૈનદર્શન કે પ્રકરણો જ નહિ પરંતુ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, જ્યોતિષ, વૈદ્યક આદિ એવો કોઈ વિષય બાકી નહિ હોય કે જેને તે મહાપુરુષોએ પોતાની અનોખી કલમથી કંડાર્યો નહીં હોય...
આવા અણમોલ ગ્રંથોનો સાત ભાગોમાં હિન્દી ભાષામાં લખાયેલ ઇતિહાસ ગુજરાતી ભાષામાં અનુવાદરૂપે આપવા પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.)એ વિચાર્યું. આ સાતે ભાગ ઉપરાંત આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીની પ્રમાણમીમાંસા તથા ડૉ. મોહન લાલ મેહતા લિખિત હિંદી જૈન ધર્મ-દર્શન નો અનુવાદ આપવાનું પણ વિચાર્યું. તેથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી. મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી અનુવાદ અને સંપાદનનું કાર્ય સંપન્ન કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજ્યશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ નવ ગ્રંથો ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે.
પ્રસ્તુત પ્રમાણમીમાંસા કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય વિરચિત જૈન પ્રમાણશાસ્ત્રનો અનુપમ ગ્રંથ છે.સમગ્ર ભારતીય પ્રમાણશાસ્ત્રમાં જૈન તાર્કિકોનું પ્રદાન કેટલું હતું અને કેટલું મહત્ત્વપૂર્ણ હતું તે દર્શાવતો અમૂલ્ય ગ્રંથ છે. આવા મહત્ત્વપૂર્ણ ગ્રંથને પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીએ લખેલી અતિ વિસ્તૃત હિન્દી પ્રસ્તાવનાનો અનુવાદ સાથે અહીં પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. જૈનવિદ્યાના અધ્યાપકો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓ સૌએ આ ગ્રંથ વાંચવા યોગ્ય છે.
વિ.સં.૨૦૬૨, અષાઢ સુ.૧૫, મંગળવાર મુંબઈ
Jain Education International
એ જ
પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વે.
For Private & Personal Use Only
www.jainelibrary.org