Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય
મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ જૈનાચાર્ય હેમચંદ્રસૂરિનું ચિત્ર છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કવિતા અને વ્યાકરણ, ઇતિહાસ અને પુરાણ, યોગ અને અધ્યાત્મ, કોશ અને અલંકાર, ત્યાગ અને તપશ્ચર્યા, સંયમ અને સદાચાર, રાજકલ્યાણ અને લોકકલ્યાણ એવાં અનેકવિધ ક્ષેત્રોમાં સાત દાયકા જેટલા દીર્ઘકાળ સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સાધુતા અને સાહિત્યના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની સાથે તુલના કરી શકાય તેવી કોઈ બીજી વિભૂતિ નજરે પડતી નથી.
.સ. ૧૨મી સદીમાં થઈ ગયેલા આચાર્ય હેમચંદ્ર તત્કાલીન સોલંકી રાજા સિદ્ધરાજ અને કુમારપાળના ગુરુ સમાન હતા.તેમના ઉત્કટ પ્રભાવથી અહિંસાનો જે પ્રચાર પશ્ચિમ ભારતમાં થયો તેના સુપરિણામ આજદિન સુધી મળી રહ્યા છે. જ્ઞાનના ક્ષેત્રે તેમણે એટલું બધું કામ કર્યુ છે કે તેઓ કલિકાલસર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ થયા. સંસ્કૃત ભાષાના તેમણે રચેલા અદૂભુત વ્યાકરણ “સિદ્ધહેમશબ્દાનુશાસન”ની હાથીની અંબાડી પર મુકી ધામધૂમપૂર્વક પાટણમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રસ્તુત ચિત્રમાં ચિત્રકારે આ પ્રસંગને તાદશ કરી બતાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org