________________
(પર) સમાધિ-મરણ ભાગ-૧
હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, ત્રણ વેદ, વળી સંજ્ઞાભય, મૈથુન, આહાર, પરિગ્રહ-કૃશ કરવા ઘરજો પ્રક્ષા. રસ, ઋદ્ધિ, શાતા ગારવ ત્રણ, લેશ્યા અશુભ, વિભાવ તજો; વધતા ત્યાગે કષાય-તનને કૃશ કરી શુદ્ધ સ્વરૂપ ભો. ૪૨ અર્થ :– હવે કષાયના કારણ એવા નવ નોકષાય વગેરેને દૂર કરવા જણાવે છે ઃ— હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આ નવ નોકષાય, વળી ભય, મૈથુન, આહાર, પરિગ્રહ એ ચાર સંજ્ઞાને પાતળી પાડવા માટે તમારી પ્રજ્ઞાનો ઉપયોગ કરજો.
પછી ત્રણ ગારવ. ગારવ એટલે ગર્વ. ૨સ ગારવ એટલે અમે તો બે શાક સિવાય ખાઈએ નહીં વગેરે, ઋદ્ઘિ ગારવ એટલે મારા જેવી રિદ્ધિ કોની પાસે છે અને શાતા ગા૨વ એટલે મારે તો નખમાય રોગ નથી, મારું માથું પણ કોઈ દિવસ દુઃખે નહીં વગેરે ભાવો ત્યાગવા યોગ્ય છે. તથા લેશ્યા છ છે. કૃષ્ણ, નીલ, કાર્પાત, પીત, પદ્મ અને શુક્લ. તેમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા ત્યાગવા યોગ્ય છે. આ બઘા વિભાવ ભાવો સમાધિમરણમાં બાઘક છે. માટે ત્યાગભાવને વઘારી કષાયરૂપી શરીરને પ્રથમ કૃશ કરી શુદ્ધ સહજાત્મસ્વરૂપની ભજના કર્યા કરો તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. ।।૪૨।।
વિષય-કષાય પ્રબળ શત્રુસમ દુર્જાય પણ જીવ જીતે તો; સુલભ સમાધિ-મરણ બને છે, ખરેખરો શૂરવીર એ તો; વાસુદેવ વા ચક્રવર્તી પણ કષાય વશ નરકે જાતા, વિષય-કષાયો જીત્યા તેનાં યશગ્ગત ગંધર્વો ગાતા. ૪૩
અર્થ :– વિષયકષાય એ જીવના પ્રકૃષ્ટ બળવાન શત્રુ સમાન દુર્જાય છે. છતાં તેને જીવ જો જીતે તો સમાધિમરણ કરવું સુલભ બને છે. એને જીતનાર ખરેખરો શૂરવીર છે.
વાસુદેવ અથવા ચક્રવર્તીઓ પણ થાયને વશ બની નરકે જાય છે. માટે વિષયકષાય જેણે જીત્યા તેના યાગીતો ગંધર્વો એટલે દેવલોકમાં સંગીત કરનાર દેવો પણ ગાય છે. ।।૪૩।।
સાધક સંઘ કરે વૈયાવચ કે ઉપદેશ સુ-સંઘપતિ, વર્ષો નિર્ધામક વાચક મુનિ કે સાથક મુનિને મદદ અતિ; આરાધક સુશ્રદ્ધાવાળા હોય ગૃહસ્થ, સુસંગ ચઢે, ત્યાગ્ય, વિરાર્ગી, સુશ્રુત, સુધર્માં શોધી શિક્ષા નિત્ય ગ્રહે. ૪૪
૨૩
અર્થ :– સમાધિમરણના સાધકની, ચતુર્વિધ સંઘ જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કહેવાય તે બઘા વૈયાવચ્ચ એટલે સેવા કરે છે. સુસંઘપતિ કહેતા આચાર્ય ભગવંત સાધકને ઉપદેશ આપે છે. વળી નિર્યામક એટલે સેવા કરનાર સાધુ અને વાચક એટલે ઉપાધ્યાય સાઘક મુનિને સમાઘિમરન્ન કરવામાં ઘણી મદદ આપે છે.
સમાધિમરણ કરનાર જો શ્રદ્ધાવંત ગૃહસ્થ હોય તો તે હમેશાં સત્સંગને ઇચ્છે છે. ત્યાગી, વૈરાગી, બહુશ્રુત અને ધર્માત્માને શોધી તેમની પાસેથી રોજ શિક્ષા ગ્રહણ કરે છે. ૫૪૪
સદારાધના સમ્યક્ દર્શન-જ્ઞાન-ચ૨ણ-તપ રૂપ ગણી કળિકાળમાં અસત્પ્રસંગે વિરલ ગૃહાશ્રમમાંહિ ભણી;