________________
૭ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - તે પાલખીમાં બન્ને ઘર્મમૂર્તિ વીરને બેસાડી, ઉપર છત્ર ઘરી, ચામર વીંઝતા ચાલવા લાગ્યા. વિવિઘ પ્રકારના ઘણા વાજાં વાગવા લાગ્યા. નગરના સજ્જન પુરુષો પણ બઘા સાથે ગયા. વૈભારગિરિ ઉપર પાલખીમાંથી બન્ને વીર ઊતરી ઈશાન એટલે ઉત્તર અ પૂર્વ વચ્ચેની દિશામાં જઈ, મંડનાદિક કહેતા મંડન એટલે શણગાર આદિ સર્વ ઉતારી માતાને દઈ, તાનમાં એટલે આત્મોલ્લાસમાં આવી બન્ને વીર કેશ લોચ કરવા લાગ્યા.
માતા પ્રભુને વંઠ વદતી, “પુત્રભિક્ષા આ દઉં, ત્રિભુવનપતિ! આ શિષ્ય હોરો ઘન્ય હું તેથી થઉં” બન્ને ય તે શ્રી વીર આગળ પંચ મહાવ્રત ઉચ્ચરે;
છઠનું સદા કરી પારણું વળી છઠ તણું વ્રત તે ઘરે. ૫ અર્થ - ભદ્રા માતા પ્રભુ મહાવીરને વંદન કરી કહેવા લાગ્યા કે હે ત્રિભુવનપતિ! આપને હું મારા પુત્રની ભિક્ષા આપું છું. એને હોરી આપનો શિષ્ય બનાવો તેથી હું ઘન્ય બની જાઉં. પછી શ્રી શાલિભદ્ર અને શ્રી ઘન્યકુમાર બન્ને, શ્રી વીર પરમાત્મા આગળ પંચ મહાવ્રત ઉચ્ચરવા લાગ્યા. પછી છઠ એટલે બે ઉપવાસ કરી સદા પારણું કરતા અને વળી બે ઉપવાસનું આગળ વ્રત ધારણ કરી લેતા હતા. //પા.
ઓછો ન તપ તેથી કરે પણ તપ તણી વૃદ્ધિ વરે, સ્ત્રીવૃન્દ પણ યમપંચ ઘર તપ જપ યથોચિત આદરે; શ્રેણિક અને ભદ્રાદિ જન વંદન કરી નગરે ગયાં,
શ્રી વીર પણ પરિવાર સહ ત્યાંથી વિદેશે વિચર્યા. ૬ અર્થ - બે ઉપવાસથી ઓછું તપ કરતા નહોતા પણ તેથી વિશેષ તપવૃદ્ધિ થાય તેમ કરતા હતા. તેમની સ્ત્રીઓનો સમુહ પણ પાંચ યમ એટલે પંચ મહાવ્રત ઘારણ કરીને તપ જપ યથોચિત એટલે યથાયોગ્ય શક્તિ પ્રમાણે ગ્રહણ કરતા હતા. રાજા શ્રેણિક અને ભદ્રા શેઠાણી આદિ બઘા લોકો ભગવાનને વંદન કરી નગરમાં ગયા. અને ભગવાન શ્રી મહાવીર પણ સાધુ સાધ્વી વગેરે પરિવાર સાથે ત્યાંથી બીજા દેશમાં વિહાર કરી ગયા. કા.
ફરી રાજગૃહીંમાં વીંર પથાર્યા નગરજન-પુણ્યોવશે, મુનિ શાલિભદ્ર પુંછે પ્રભુને, “પારણું મુજ ક્યાં થશે?” તુજ જનની હાથે પારણું પામીશ” એ વચનો સુણી,
શ્રી ઘન્યમુનિ સહ જાય શાલિભદ્ર ભદ્રા-ઘર ભણી. ૭ અર્થ :- ફરી રાજગૃહીમાં નગરજનોના પુણ્યવશાત્ ભગવાન મહાવીરનું પઘારવું થયું. તે વખતે મુનિ શાલિભદ્ર પ્રભુને પૂછ્યું કે આજે મારું પારણું ક્યાં થશે? પ્રભુ કહે : તારી માતાના હાથે પારણાની સામગ્રી પામીશ. એ વચનો સાંભળી શ્રી ઘન્યમુનિ સાથે શ્રી શાલિભદ્ર મુનિ પોતાની માતા ભદ્રાના ઘર ભણી રવાના થયા. //શા
બન્ને ગયા ભદ્રાગૃહે પણ માત શકી ના ઓળખી, પાછા ફર્યા ઘરથી તપસ્વી, નગર-દરવાજા લગી