________________
૧ ૧
૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કલ્યાણ કેવી રીતે થાય? દીવાથી દીવો પ્રગટ થાય છે. તેમ આત્મજ્ઞાની પુરુષ મળવાથી અને તેમની આજ્ઞા આરાઘવાથી જ જ્ઞાનરૂપી દીવો ઘટમાં પ્રગટ થાય છે.
“અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સ” મળ્યા નથી, “સ” સુપ્યું નથી, અને “સ” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુયે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.” (વ.પૃ.૨૪૬) //ઉપાા
તે મળવાથી, તે સુણવાથી, તે શ્રદ્ધાથી થાશે રે,
આત્માથી ભણકારો જીંવને હૂંટવાનો, ઘૂંટી જાશે રે. શ્રીમદ્દ અર્થ :- સાચા સપુરુષ મળવાથી, તેની વાણી ભાવપૂર્વક સાંભળવાથી, તેની અંતરથી શ્રદ્ધા કરવાથી, આત્મામાંથી જન્મમરણના દુઃખોથી છૂટવાનો જીવને સાચો ભણકાર થશે અને તે જીવ સર્વ પ્રકારના દુઃખોથી જરૂર છૂટી જશે. ./૧૬ાા
| સર્વ જીવને સુખી કરવાને ઇચ્છે સર્વે સંતો રે,
લોક બળે મમતા-અગ્નિથી, જાણે ન મોહે સૂતો રે. શ્રીમદ્ અર્થ - સર્વ સંતપુરુષો જગતના સર્વ જીવોને સુખી કરવા ઇચ્છે છે. આખો લોક બધો મમત્વભાવરૂપ અગ્નિથી બળી રહ્યો છે. પણ સંસારી જીવો મોહ નિદ્રામાં સૂતેલા હોવાથી તેને જાણી શકતા નથી. ૧થા
જગાડવા પોકાર કરે છે, જે સમજે તે નાસે રે,
નાસનારને માર્ગ બતાવે; પણ જે તેથી ત્રાસે રે- શ્રીમ અર્થ :- જ્ઞાની પુરુષો જીવોને મોહ નિદ્રામાંથી જગાડવા પોકાર કરીને કહે છે કે હે જીવો! આ આરંભ પરિગ્રહ અગ્નિ જેવો છે, તેમાં બળી મરશો, માટે ઊઠીને ભાગો ભાગો. જે ભાગ્યશાળી આ વાતને સમજશે તે તો આ મોહ નિદ્રામાંથી જાગૃત થઈને ભાગી જશે. જે જાગૃત થશે તેને જ્ઞાની પુરુષો જરૂર માર્ગ બતાવશે. પણ માર્ગ બતાવતાં જો જીવને તે ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ ત્રાસરૂપ લાગશે તો જ્ઞાની પુરુષો મૌન થઈ જશે. ૧૮
તેને પકડી ભય ના તે દે, દૂર રહી પોકારે રે,
સૂઈ રહે, બળતું ના દેખે, ટાઢ જવાથી ઘોરે ૨. શ્રીમ અર્થ:- જ્ઞાની પુરુષની વાણીથી જીવને જો ત્રાસ થાય, તો તેને પકડી જ્ઞાની કંઈ ભય બતાવે નહીં. તે તો માત્ર દૂર રહી ઉપદેશ આપી જાગૃતિ આપવા પોકાર કરે. છતાં મોહ નિદ્રામાં જ ઘોરી રહે અને ત્રિવિધ તાપની બળતરાને ગણે નહીં, પણ તે બળતરાને ઊલટી વઘારે સારી માની જેમ ગરમીથી ટાઢ જાય તેમ માની મોહનીંદ્રામાં જ વઘારે ઘોરે તેને પછી જ્ઞાની કંઈ કહેતા નથી II૧૯ો.
હાકલથી પણ દુઃખ ગણે તો શાંતિ સંત ઘરે છે રે,
એવો સંત-સ્વભાવ દયાળુ દુઃખ ન દેવા ઇચ્છે રે.” શ્રીમદ્ અર્થ – મોહના કારણે ત્રિવિઘ તાપથી બળતા જીવોને જ્ઞાની પુરુષ સુખનો માર્ગ બતાવવા ઇચ્છે; પણ તેમની હાકલથી જ એમ માની લે કે આ અમારું ઇન્દ્રિયસુખ છોડાવી દેશે એમ જાણીને દુઃખી થાય