Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 170
________________ (૬૬) વીરત્વ અર્થ :– ઉપરોક્ત ચારિત્રને ગ્રહણ કરનાર અતિ પુરુષાર્થી તે મોક્ષમાર્ગમાં મહાભાગ્યશાળી ધર્મવીર પુરુષ છે. તે છકાય જીવોને અભયદાન આપે છે. તેમજ અદત્તગ્રહણ એટલે કોઈના આપ્યા વિના કંઈ પણ લેતા નથી. ।।૩૨।। કદી કરે વિશ્વાસઘાત નહિ, અસત્યનો પણ ત્યાગી, ધર્મ ન ઓળંગે મન, વચને જિતેન્દ્રિય, વૈરાગી. દેજો અર્થ :— તેઓ કોઈનો કદી વિશ્વાસઘાત કરે નહીં, તેમજ અસત્ય વચન બોલવાના પણ ત્યાગી હોય. તેઓ મન વચનથી ધર્મનું કદી ઉલ્લંઘન કરે નહીં, વળી બ્રહ્મચર્યવ્રત પાળનાર જિતેન્દ્રિય હોય તેમજ સર્વ પરિગ્રહ પ્રત્યેનો રાગ તજી વૈરાગી રહેવામાં પોતાના વીરત્વનો ઉપયોગ કરે છે. ।।૩૩।। સર્વ પ્રકારે રક્ષે આત્મા ધ્યાનયોગ ચિર ધારે, પરમ ઘર્મ તિતિક્ષા માને, સુયોઁ અલ્પાહારે, દેજો = અર્થ :– સર્વ પ્રકારથી તેઓ પોતાના આત્માની રક્ષા કરે છે. આત્માને બંધનમાં આવવા દેતા નથી. મુનિનો ધર્મ, ધ્યાન અને સ્વાઘ્યાય છે. માટે ધ્યાન યોગને ચિરકાળ ધારણ કરવા પ્રયત્ન કરે છે. તિતિક્ષા એટલે સુખદુઃખ આદિ દ્વંદ્વોને ઘીરજથી સહન કરવામાં તેઓ પરમધર્મ માને છે. તેમજ અલ્પઆહાર કરવામાં જે સભ્યપ્રકારે યત્ન કરનારા છે. એવા મુનિને એક જ વાર ભોજન કરવાની ભગવંતની આજ્ઞા છે. ૫૩૪॥ અલ્પ પાન ને વચન અલ્પતા, મોક્ષ થતાં સુર્પી પાળે, કીર્તિ કાજે તપ ના કરતા, અંતર્મુખ મન વાળે, દેજો ૧૬૧ - અર્થ :— પાણી પણ અલ્પ પીએ. દિગંબર મુનિઓ તો એકવાર ભોજન કરે તેની સાથે જ પાણી પીએ, પછી નહીં; વચન એટલે વાણીની પણ અલ્પતા કરે, પ્રયોજન વગર બોલે નહીં; મૌન રહે. મુનિના આવા ઘર્મો તે આયુષ્ય પૂર્ણ થતાં સુધી પાળે, તેઓ માન મોટાઈ માટે તપ કરતા નથી, પણ તપ કરીને મનને સદા અંતર્મુખ રાખવામાં પ્રયત્નશીલ રહે છે. ‘“અંતર્મુખવૃષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે. કેમકે અનંતકાળના અભ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે.’” (વ.પૃ.૪૮૬) ।।૩૫।। શરણ અનન્ય ગ્રહી મુમુક્ષુ શુદ્ધ સ્વરૂપને ધ્યાવે, અંતર્-આત્મદશા ઉપજાવી તન્મયતા પ્રગટાવે. દેજો = અર્થ :— તેમ મુમુક્ષુ પણ પોતાનું આત્મવીર્ય ફોરવી સદ્ગુરુનું અનન્ય શરણ ગ્રહણ કરીને તેમની આજ્ઞાએ શુદ્ધ સ્વરૂપ એટલે સજાત્મસ્વરૂપનું ધ્યાન કરતાં અંતર આત્મદશાને ઉત્પન્ન કરી તેમાં તન્મય થાય છે. ૩૬ના સ્વરૂપ સ્વભાવિક પરમાત્માનું જાણે તે જન સુખી, બહિરાત્મા તે કદી ન જાણે, ક્ષણમાં અંતર્મુખી. દેજો॰ અર્થ :— એમ ઉપરોક્ત આરાધના કરતાં જે સ્વાભાવિક પરમાત્માના શુદ્ધ સ્વરૂપને જાણે તે જન = સુખી થાય છે. જગતના પ્રપંચોમાં રાચી રહેલ બહિરાત્મા તે કદી આત્મસુખને જાણી શકતો નથી; જ્યારે અંતત્મા એટલે સમ્યદૃષ્ટિ ક્ષણમાં આત્મસુખનો અનુભવ કરી શકે છે. ।।૩૭।।

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208