Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
અશાતાવેદનીય કર્મબંઘના કારણો :
બીજા જીવોને દુઃખ આપવાથી, હેરાન કરવાથી, હિંસા કરવાથી કે મારવાથી કે વઘ, બંધન, છેદન, ભેદન, તાડન કરવાથી અશાતા વેદનીય કર્મનો બંઘ થાય છે. વળી દેવગુરુથર્મની નિંદા વગેરે કરવાથી કે દુઃખ, શોક, સંતાપ, આક્રંદન, રૂદન કરવાથી, પણ અશાતાવેદનીયકર્મ બંધાય છે. તેથી વિપરીત દેવગુરુઘર્મની ભક્તિ કરવાથી, ક્ષમા, દયા, વ્રતપાલન, મન, વચન, કાયાની શુભપ્રવૃત્તિ, ક્રોધાદિ કષાયોનો જય, સુપાત્રદાન, ઘર્મમાં દૃઢતા અને સેવા કરી જીવોને સુખ શાંતિ આપવાથી શાતાવેદનીય કર્મનો બંઘ થાય છે. સંસારની તમામ અનુકૂળતાઓ અથવા સાંસારિક સુખ તે શાતાવેદનીય કર્મના ઉદયથી મળે છે.
મોહનીય કર્મ :- મોહનીય કર્મ જીવને દારૂ પીધેલાની જેમ અસાવધ એટલે બેભાન બનાવે છે. દારૂ પીધેલો માણસ જેમ પોતાનું ભાન ભલે તેમ મોહનીય કર્મના બળે આત્મા પોતાના હિતાહિતના વિવેકને ભૂલે છે. તે પોતાના સ્વરૂપને ભૂલી સંસારની મોહમાયામાં લપટાઈ જાય છે. જેથી તેને સમ્યક્દર્શન કે સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવતા નથી. ઉપરા
છવ્વીસ ભેદે બંઘ થતો મોહનીયનો; હો લાલ થતો.
રોકે બેડી સમાન આયુષ્ય-કર્મ તો. હો લાલ આયુષ્ય. ૧૬ આ મોહનીય કર્મનો છવ્વીસ ભેદથી બંઘ થાય છે તે નીચે પ્રમાણે :વળી મોહનીય કર્મના બે ભેદ છે.
(૧) દર્શનમોહનીય કર્મ – તેનો ઉદય આત્માના સમ્યગદર્શનગુણને રોકે છે, અર્થાત્ સમ્યગ્દર્શન થવા દે નહીં. આ દર્શનમોહનીય કર્મ બંઘની અપેક્ષાએ એક મિથ્યાત્વરૂપ છે. પણ સમકિત થયા પછી તેના મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય એમ ત્રણ ભેદ પડે છે. તેથી અહીં દર્શનમોહનીય કર્મની એક મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિને જ ગણતરીમાં લઈ, કુલ્લે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિને બદલે ૨૬ પ્રકૃતિવડે બંધ થતો જણાવવામાં આવેલ છે, તે યથાર્થ છે.
દર્શનમોહનીય કર્મના ત્રણ ભેદ :૧. મિથ્યાત્વ મોહનીય :- જેના ઉદયથી જિનપ્રણિત તત્ત્વ ઉપર શ્રદ્ધા ન થાય. ઊંઘી મતિ હોય.
૨. મિશ્ર મોહનીય - “સત્ય તત્ત્વ તરફ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા રખાવે છે. તેમજ અસત્ય તત્ત્વ તરફ પણ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.” -કર્મગ્રંથસાર્થ ભાગ-૧ (પૃ.૧૭૩)
મિશ્ર મોહનીય-જ્ઞાનીએ કહ્યું છે તે પણ ઠીક છે અને આપણે આજ સુધી કરતા આવીએ છીએ તે પણ ઠીક છે. સદગુરુ સારા છે અને આપણા કુળગુરુ અજ્ઞાની હોય તો પણ તે સાધુ છે, આચાર્ય છે, સારા પૂજવા લાયક છે એવી માન્યતા તે મિથ્યાત્વમોહનીય કરતાં ઓછા ઝેરવાળી પણ સમકિત ન થવા દે તેવી છે.” -બોઘામૃત ભાગ-૩ (પૃ.૭૩૧)
૩. સમકિત મોહનીય – જેના ઉદયથી સમ્યગ્દર્શનનો નાશ થતો નથી. પણ પોતે દેરાસર કરાવ્યું હોય ત્યાં બહુ શાંતિ જણાય અથવા શ્રી શાંતિનાથ કે શ્રી પાર્શ્વનાથ આદિને વિશેષ હિતકર્તા જાણી તેવો ભેદ સમજણમાં રહે છે. આ સમકિત મોહનીયનો ઉદય હોય તેને ક્ષયોપશમ સમકિત કહેવાય.
(૨) ચારિત્રમોહનીય કર્મ :- એનો ઉદય આત્માના ચારિત્ર ગુણને રોકે અર્થાત આત્માના સ્વભાવમાં સ્થિરતા આવવા ન દે; તે ચારિત્ર મોહનીય કર્મનું પ્રબળપણું છે.

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208