________________
૧૦૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ત્યારે બીજી ૧૬ પ્રકૃતિની સત્તા દૂર થાય છે. ૪૦ના
સ્થાવર-તિર્યક-દ્ધિક નરક-આતપ-દિક હો લાલ નરક
એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, મ્યાનગૃદ્ધિ-ત્રિક હો લાલ મ્યાન. ૪૧ અર્થ - તે ૧૬ પ્રકૃતિ આ પ્રમાણે :
૧. સ્થાવર અને ૨. સૂક્ષ્મ, ૩. તિર્યંચગતિ, ૪. તિર્યંચાનુપૂર્વી, ૫. નરકગતિ, ૬. નરકાનુપૂર્વી, ૭. આતપ, ૮. ઉદ્યોત, ૯. એકેન્દ્રિય જાતિ તથા વિકસેન્દ્રિય, ૧૦. બે ઇન્દ્રિય, ૧૧. તે ઇન્દ્રિય, ૧૨. ચૌરેન્દ્રિય, ૧૩. નિદ્રા નિદ્રા, ૧૪. પ્રચલા પ્રચલા, ૧૫. મ્યાનગૃદ્ધિ અને ૧૬. સાધારણ નામકર્મ. ૪૧ાા
સાઘારણ એ સોળ; બાર્વીસ ને સો રહી હો લાલ બાર્વી
એક સો ઉપર ચૌદ ત્રીજા ભાગની લહી હો લાલ ત્રીજા ૪૨ અર્થ :- ઉપરોક્ત ૧૬ પ્રકૃતિઓનો નવમા ગુણસ્થાનના બીજા વિભાગમાં ક્ષય થવાથી ૧૩૮ માંથી ૧૬ બાદ કરતાં ૧૨૨ પ્રકૃતિની સત્તા રહી.
પછી ત્રીજા ભાગમાં અપ્રત્યાખ્યાનની અને પ્રત્યાખ્યાની ક્રોધાદિકષાયની ૮ પ્રકૃતિઓ ક્ષય થવાથી ૧૧૪ પ્રકૃતિઓ સત્તામાં રહી. ૪રા
નિર્મુળ આઠ કષાય; પછી નપુંસક ગયે હો લાલ પછી
ચોથે સો ને તેર સત્તામાંહિ રહે હો લાલ સત્તામાંહિ૦ ૪૩ અર્થ - નવમા ગુણસ્થાનના ત્રીજા ભાગે ૮ કષાય નિર્મળ થયા. હવે ચોથા ભાગમાં નપુંસકવેદ ટળવાથી ૧૧૩ પ્રકૃતિની સત્તા રહી. //૪૩ી
સ્ત્રીવેદ જાતાં એક સો બાર પાંચમે હો લાલ સો.
હાસ્ય-પર્ક ક્ષય થાય એક સો છ છછું હો લાલ એક ૪૪ અર્થ - પાંચમા ભાગમાં સ્ત્રીવેદ જવાથી ૧૧૨ રહી તથા છઠ્ઠા ભાગમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જાગુપ્સા ક્ષય થવાથી ૧૦૬ પ્રકૃતિ સત્તામાં રહી. ૪૪
સાતમે ન નરવેદ એક સો પાંચ છે હો લાલ એક
આઠમે નથી કોઇ એક સો ચાર એ હો લાલ એક ૪૫ અર્થ :- સાતમા ભાગમાં પુરુષવેદ જવાથી ૧૦૫ રહી. આઠમા ભાગમાં સંજ્વલન ક્રોઘ જવાથી ૧૦૪ સત્તામાં રહી. ૪પાા
નવમે ન રહે માન એક સો ત્રણ રહી હો લાલ એક
ક્ષપકશ્રેણીની રીત નવમાની નવ કહી હો લાલ નવમા ૪૬ અર્થ - નવમા ગુણસ્થાનના નવમા ભાગમાં સંજ્વલન માન ટળવાથી ૧૦૩ રહી. ક્ષપકશ્રેણી ચઢતા નવમાં ગુણસ્થાનની નવ પ્રકારે રીત હતી તે કહી જણાવી. ||૪૬ાા
દશમે સો ને બે જ માયા ચોથી વિના હો લાલ માયા બારમે સો ને એક છેલ્લા લોભ વિના હો લાલ છેલ્લા ૪૭