________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૩ ૩
છે; એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે. જે ભવ્યાત્મા આવા ઉત્તમ બોઘને પોતાના હૃદયમાં રોપીને એટલે સ્થાપીને તેને પોષણ આપશે; તેને તે બોઘ મોક્ષસુખના સાજ એટલે સાઘન સમા સમ્યક્દર્શનને પ્રાપ્ત કરાવશે. સા.
વૈરાગ્ય રસે જ પૂર્ણ તે સંસારતમૂળ ખોદશે,
ભવ્ય ઘણા સુણી સુણી તે ગ્રહી મુક્તિમાર્ગ પ્રમોદશે. ૪ અર્થ - ભગવાનનો આ બોઘ વૈરાગ્યરસથી ભરપૂર છે. એ સંસારરૂપી વૃક્ષના જડમૂળને ખોદી નાખશે. ઘણા ભવ્ય જીવો આ બોઘને સાંભળી સાંભળીને, ઉત્તમ મુક્તિમાર્ગને ગ્રહણ કરી, પ્રમોદશે એટલે આત્માના પ્રકૃષ્ટ આનંદને પામશે, અર્થાત્ આત્માની શાશ્વત સુખશાંતિને પામશે. I૪ો.
પ્રથમ ખંડ ઊઠો ઊઠો ન ઊંઘશો, દુર્લભ બીજે જન્મ જાગૃતિ;
વીતી રજની ન આવશે, નહિ સુલભ ઑવન પુનરાવૃતિ. ૫ અર્થ :- વૈરાગ્યથી સંયુક્ત હૃદયવાળા અઠ્ઠાણું પુત્રોને ભગવાન ઋષભદેવ સંબોધીને ઉપદેશે છે કે હે ભવ્યો! તમે ઊઠો! ઊઠો, મોહનિદ્રામાં હવે ઊંઘશો નહીં. જાગૃત થાઓ કેમકે બીજા જન્મમાં આત્મજાગૃતિ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. વીતી ગયેલી રાત્રિઓ પાછી આવશે નહીં. તેમજ મનુષ્ય જન્મની પુનરાવૃત્તિ એટલે ફરી તે મળવો સુલભ નથી. મનુષ્યભવ તો દશ દ્રષ્ટાંતે દુર્લભ છે. આપણા
બાલ-વૃદ્ધ-ગર્ભ કાળમાં મરતા માનવ આમ દેખતાં,
જાય ઝડપી બાજ તેતરો, તેમ જ આયુષ્યો ય તૂટતાં. ૬ અર્થ - બાળક, વૃદ્ધ કે ગર્ભકાળમાં પણ મનુષ્યો મરણ પામે છે. જેમ બાજ પક્ષી તેતરને ઝડપી મારી નાખે છે. તેમ આયુષ્ય તૂટતાં મનુષ્યનું મરણ થઈ જાય છે.
“કોઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતા કોઈ, બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ; નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી ખરો, જન્મે તે મરી જાય.”
માતપિતા-સ્નેહ-લુન્થ જે મરી નહીં સુલભ સુંગતિ વરે;
ભય એવો ઉર ઘારીને, આરંભ તજી, સુંવ્રતો ઘરે. ૭ અર્થ - માતાપિતા આદિના સ્નેહમાં લુબ્ધ બની જે મરણ પામે તેને માટે સદ્ગતિ સુલભ નથી.
માટે મૃત્યુ અને મોહનો ભય હૃદયમાં રાખી, હિંસામય આરંભનો ત્યાગ કરી મુમુક્ષુએ સમ્યક્ પ્રકારે ગુરુ આજ્ઞાએ વ્રત ઘારણ કરવા જોઈએ. આશા
નહીં તો કર્મો જ જીવને નરકાદિ સ્થાને લઈ જશે,
કરેલ કમ ન છોડશે, ત્યાં ત્યાં પીડા જીવ પામશે. ૮ અર્થ :- નહીં તો પોતાના જ કરેલા કર્મો જીવને નરક નિગોદાદિ ગતિઓમાં લઈ જશે. કરેલા કર્મોના ફળ ભોગવ્યા વિના જીવનો છૂટકારો નથી. તે તે સ્થાનોમાં જીવ ઘણી પીડાને પામશે. ટા
દેવો, ગંઘર્વ, રાક્ષસો, અસુરો, ભૂચર, નાગ, નૃપતિ, બ્રાહ્મણ નર શેઠ પંખી સૌ, તજે દેહ દુખિયા થઈ અતિ. ૯