________________
૬ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - પત્થર કે પથારી, વન કે નગર, પ્રશંસા કે નિંદા જેને બધું સમાન છે. કોઈ કર્દમ એટલે કિચડ છાંટે કે કંકુ ચોપડે, યતિ એટલે મુનિ હો કે સ્ત્રી. બન્નેમાં જે આત્મા જુએ એવા આત્મદ્રષ્ટિ મહાત્માઓને મન એક સમતા રાખવી એ જ સારભૂત જણાય છે. ૪૬ાા
બુદ્ધિ-બળમાં તો ઘણા રે સ્વાર્થ નિજ દેખત;
વિરલા શિવગતિ પામવા રે સમતા ઘરે અનંત. સમતા અર્થ :- બુદ્ધિ બળવાળા તો આ જગતમાં ઘણા છે. પણ તે બુદ્ધિનો દુર ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવામાં કરે છે. પણ મોક્ષગતિને પામવા માટે કોઈ વિરલા જીવો જ પ્રાપ્ત બુદ્ધિનો સદુપયોગ, અનંત સમતા ઘારણ કરવામાં કરે છે. ૪થા.
સમતા-રસના સ્વાદકો રે, અબઘુ, અલૌકિક સંત,
આત્મ-સુંખમાં મગ્ન તે રે ન ચહે જ્ઞાન અનંત! સમતા અર્થ :- સમતારસનું આસ્વાદન કરનારા અવધૂત અલૌકિક સંતપુરુષો છે. તે સદા આત્માના અનંતસુખમાં મગ્ન રહે છે, તેથી જ્ઞાન અનંત એટલે કેવળજ્ઞાનની પણ જેને ઇચ્છા નથી અર્થાતુ મોક્ષની ઇચ્છાથી પણ તેઓ નિવૃત્ત થાય છે. I૪૮ાા
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજાં શું આપવાનો હતો?” (વ.પૃ.૪૯૯) I/૪૮ાા.
જે મહાત્મા પુરુષો અનંત સમતાને ઘારણ કરે તે ફરી આ સંસારમાં આવતા નથી. માટે મારે પણ “માથે ન જોઈએ' એવો વિચાર કરી શાલિભદ્ર અનંત સમતાને આપનારી એવી જિનદીક્ષાને ગ્રહણ કરી પોતાનું કલ્યાણ સાધ્યું. એવા શાલિભદ્રની વૈરાગ્યપૂર્ણ કથાનું અત્રે આલેખન કરવામાં આવે છે.
(૫૭) માથે ન જોઈએ
ભાગ-૧
(હરિગીત)
વંદન કરું. શ્રી રાજગુરુના ચરણ-કમળ ભાવથી; જેના અલૌકિક યોગબળ ને બોઘના જ પ્રભાવથી શ્રી શાલિભદ્ર-કથા પ્રસંગે ચિત્ત વાળીને કહ્યું :
“માથે ન કોઈ જોઈએ” એવી દશા સૌને ચહું. ૧ અર્થ:- ગુરુવર્ય શ્રી રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું ભાવથી પ્રણામ કરું છું. જેના અલૌકિક મન વચન કાયાના યોગબળથી અને અદ્ભુત આત્મિક બોઘના પ્રભાવથી આ શ્રી શાલિભદ્રના કથા પ્રસંગે