________________
(૫૨) સમાધિ-મરણ ભાગ-૧
૨ ૧
અર્થ - મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ઘર્મધ્યાન જ્યાં સુધી આ દેહથી સધાતા હોય, દુષ્કાળથી કે અસાધ્ય રોગથી પણ ઘર્મના નિયમો લૂંટાતા ન હોય અર્થાત્ બરાબર ઘર્મ આરાઘના થતી હોય ત્યાં સુઘી ઔષઘ કે આહારથી આ દેહની રક્ષા કરવી. કારણકે એક માનવદેહ જ ઘર્મની વૃદ્ધિ કરવા માટે ઉત્તમ સાધન છે એમ બુદ્ધિમાં ઘારવું. ૩૪
અન્ય ગતિમાં સંયમ-સાઘન ઉત્તમ રીતે નહિ જ બને, ઘર્મ-સાઘના થતી હોય તો કરી લેવી જ અનન્ય મને. લૌકિક કીર્તિ કાજે ક્રિયા કરે કરાવે મૂઢમતિ;
આત્મહિત ચૂકે તે જીવો “આતમઘાતી” કે “કુમતિ. ૩૫ અર્થ - અન્ય દેવ, નારકી કે તિર્યંચના દેહમાં ઉત્તમ રીતે સંયમની સાધના નહિ જ બની શકે. માટે આ મનુષ્યદેહમાં ઘર્મની સાધના થતી હોય તો અનન્ય મને તે કરી જ લેવી.
લૌકિક કીર્તિ માટે કોઈ ક્રિયા કરે કે કરાવે તે મૂઢ મતિવાળો છે. આવા મનુષ્યભવમાં જે પોતાનું આત્મહિત ચૂકે તે જીવો પોતાના આત્માની ઘાત ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણથી કરે છે. અથવા તે કુમતિને ઘારણ કરનાર છે. રૂપા. હવે “ભગવતી આરાઘના’ના આઘારે આગળની ગાથાઓ જણાવે છે –
કામ, ક્રોથ, મોહાદિ કષાયો કૂશ કરવાના મુખ્ય કહ્યા, રોગ ગરીબ કૃશ કાયા સહ પણ સમાધિમરણ અયોગ્ય લહ્યા. ક્ષમા ખડગથી ક્રોઘ હણો, ઘર લઘુતા, નિર્મળ માન કરો,
સરળ બની માયા-મૅળ બાળો, સંતોષે સૌ લોભ હરો. ૩૬ અર્થ:- સમાધિમરણ માટે કામ, ક્રોઘ, મોહાદિ કષાયોને મુખ્ય કૃશ કરવા કહ્યું છે. રોગી, ગરીબ, કુશ કાયાવાળા હોય, પણ તેમના કષાયો કુશ ન હોવાથી તે સમાધિમરણને માટે અયોગ્ય કહ્યાં છે. ક્ષમારૂપ ખગ એટલે તરવારથી ક્રોઘને હણો, લઘુતા ઘારણ કરીને માનને નિર્મળ કરો, સરળ
રણ કરીને સર્વ લોભનો નાશ કરો, તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. ૩૬ાા.
કષાય દોષ વિચારી વિચારી શમાવવા અભ્યાસ કરો, અગ્નિ પરે પગ જેમ ન દેતા, તેમ કષાયો પરિહરો. કદરૂપું મુખ થાય કષાયે, રક્ત નયન થઈ તન કંપે,
પિશાચ સમ ચેષ્ટા પ્રગટાવી, રહેવા દે નહિ સુખ-સંપે. ૩૭ અર્થ - કષાયના દુર્ગણોને વિચારી વિચારીને શમાવવાનો અભ્યાસ કરો. જેમ અગ્નિ ઉપર આપણે પગ દેતા નથી તેમ કષાયોને પણ અગ્નિ જેવા ગણી તેનો ત્યાગ કરો.
ક્રોધ કષાયવડે મોટું કદરૂપું થાય છે. અને આંખો લાલ થઈ શરીર કંપવા લાગે છે. વળી રાક્ષસ સમાન ચેષ્ટાઓ કરાવી સુખ શાંતિથી રહેવા દેતા નથી. ૩ળા
તપફૅપ પલ્લવ ભસ્મ કરી દે, શુંભકર્મ-જલ શોષી લે, કાદવ ખાઈ બને મન-સરિતા, કઠોરતા વ્યાપે દિલે;