Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ જાન્યુઆરી, ૨૦૧૩ ગાંધીજીને આ સમાચાર આપવા ગયો ત્યારે ગાંધીજીએ કપાળ ફૂટી આંખમાં આંસુ સાથે કહ્યું હતું કે, ‘ભવિષ્યની પ્રજા એમ ન માને કે આ સ્વરાજનો લાવનાર ગાંધી હતો.’ પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક નિર્વિકારીતાની, અપરિગ્રહની અંતિમ અવસ્થાએ પહોંચેલા ગાંધીજીને એક આસક્તિ રહી ગઈ હતી. દેશની પ્રજાને શાંત સુખી કરીને જવાની. અલબત્ત એ સાત્ત્વિક આસક્તિ હતી પણ સાત્ત્વિક તો થૈ આસક્તિ એ એમના વિકાસમાં બાધક હતી. ઈશ્વરે તેમને આટલો એ મોટો આઘાત આપી જ્ઞાનનો અનુભવ કરાવી દીધો કે હું કોણ સુખી ક૨ના૨ો, દુઃખ દૂર કરનારો ? આ અહંભાવનો પણ સંપૂર્ણપણે ત્યાગ થયો. ઈશ્વર સહુનું કલ્યાણ કરો એ પ્રાર્થના સાથે એ રમખાણો શાંત કરવા મહાભિનિષ્ક્રમણ કરવા નીકળી પડ્યા. મિર્ઝા, દુનિયામાં આયાત વિના સંપૂર્ણ જ્ઞાન કે મોક્ષનો અનુભવ કોઈ કરી શકતું નથી. ગાંધીજીની સાધનામાં એ અપરિગ્રહ કરતાં કરતાં અંતિમ સોપાને પહોંચ્યા ત્યારે ઈશ્વરે એમને આઘાત આપી આમાંથી મુક્ત કર્યા. જોવાનું એ છે કે બધું જ છોડનાં છોડનાં છેલ્લી અવસ્થાએ આ સત્યના આગ્રહીએ આગ્રહ પણ છોડ્યો. જીવનભર સત્યાગ્રહ કરનાર ગાંધીજીએ માત્ર સત્ય પકડ્યું. આગ્રહ પણ છોડ્યો. પ્રાર્થના સભામાં રાજકુમારી અમૃતકોરે જ્યારે સમાચાર આપ્યા કે કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને માઉન્ટબેટને માઉન્ટબેટન કરાર પર સહી કરી આપી છે ત્યારે ગાંધીજી માત્ર એટલું જ બોલ્યા, ‘ઈશ્વર એમને સત્બુદ્ધિ આપો.' ક્રોસ પર ચડવા જતાં પહેલાં ઈશુના પણ આવા જ ઉદ્ગારો હતા-હૈ ઈશ્વર એમને ખબર નથી કે એ શું કરી રહ્યા છે.’ ગાંધીજીના જીવનની આ સમગ્ર પ્રક્રિયા શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક ૧૩ છે. એમના જીવનમાં પ્રયોગસિદ્ધ છે અને એમાંથી આપણાં જેવા સામાન્ય મનુષ્ય માટે પણ વિકાસનો માર્ગ ખુલે છે કે ગમે તેવો સામાન્ય માણસ પણ જો જીવન વિષે સભાન, સજાગ બની વર્તન વિષે ચીવટ રાખે તો તેમાંથી તેના માર્ગમાં ત્રણ સોપાન તેને પૂર્ણતાએ પહોંચાડે છે. ૧. આત્મનિરીક્ષણ. ૨. આત્મપરીક્ષણ અને ૩. આત્મશુદ્ધિ. વર્તન વિષેની ચીવટને કારણે પોતાના ચિત્તમાં શું ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરો. એને દરેક દિશાએથી તપાસી પરીક્ષણ કરતો-સત્યને પકડતો, અસત્યને છોડતો, પોતે કરેલા સંગ્રહનો લોકકલ્યાણ માટે જ ઉપયોગ કરતો, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નિરાશ થવાને બદલે તેમાંથી પરિશુદ્ધ થઈ એક સોપાન ઉપર ચડતો આ સામાન્ય દેખાતો માનવી માનવતાની કઈ ઉંચાઈ સુધી પહોંચે છે ? એની અહિંસા આજે પણ જગત માટે એક આશાનું કિરણ છે. નારાયણ દેસાઈ એમના પુસ્તકમાં નોંધે છે કે ગાંધીજીના છેલ્લા ઉપવાસ વખતે ‘ન્યુઝ ક્રોનિકલ’ નામનું અંગ્રેજી છાપું લખે છે કે 'મહાત્મા ગાંધીની અહિંસાની સફળતા એક નવી શક્તિ દર્શાવી આપે છે, જે અણુબોંબ કરતાંયે કદાચ વધારે પ્રબળ નીવડે.’ યરવડા પહોંચતાં પહેલાં મને રસ્તામાં વિદ્યાપીઠના અમારા ભાઈઓ તરફથી પૂરતી પૂણીઓ મળી હતી. એટલે પાંચ-છ મહિના કશી ચિંતા ક૨વાનું કારણ નથી એ વિશ્વાસમાં હું રાચતો હતો. પણ થોડા જ દિવસમાં સરકારે સરદાર વલ્લભભાઈને યરવડા જેલમાં નાી રાખ્યા. જેલર ક્વિન કહે, ‘વલ્લભભાઈએ સાંજે ઓરડીમાં પુરાવાની ના પાડી. અમે એમને સાફ કહ્યું કે જેલનો કાયદો છે તે છે, અમે લાચાર છીએ તમારે પુરાવું જ પડશે. ઘણો વખત રકઝક ચાલી. જ્યારે એમણે જોયું કે ઈલાજ છે જ નહીં ત્યારે એમણે કહ્યું કે ઔડીની અંદર જરૂરી સગવડો જ્યાં સુધી નથી, ત્યાં સુધી હું ધરાર અંદર જવાનો નથી. આ વિષેના જેલના નિયમો તેઓ જાણતા હતા એટલે એક પછી એક ચીજો માગવા લાગ્યા. મેં કહ્યું કે બધી ચીત્તે કાલે આપીશું તો કહે કે ત્યારે કાલે જ ઓરડીમાં પુરાઈશું ! અંતે મેં કેટલીક વસ્તુઓ મારા ઘરમાંથી મંગાવી અને રાત્રે લગભગ દસ વાગ્યે એમને ઓરડીમાં પૂર્યા.’ એક દિવસ મેજર માર્ટિન એક નાનકડી ચિઠ્ઠી લઈ આવ્યા. ગજવામાંથી આ આત્મશક્તિને, આ અપરિગ્રહીના તપને, તેની સિદ્ધિના અંતિમ સોપાનને તથા અપરિગ્રહીની અંતિમ સ્થિતિને પ્રાપ્ત કરનાર સિદ્ધિને અને એ તપની પરંપરાના સૌ સંતોને પ્રણામ કરી વિરમું. *** મુંબઈ જૈન યુવક સંઘ-પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૧૩-૯-૨૦૧૨ના રોજ આપેલ વ્યાખ્યાન, ૨૧૯૩૭-સી, શાંતિ સદન, વડોદરિયા પાર્ક, દિલ ડ્રાઈવ, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૫૬૨૦૪૧. મોબાઈલ : ૦૯૪૦૯૦૩૦૬૦૧. સરદાર માટે પૂણીઓ ચિઠ્ઠી બાપુના હાથમાં આપી કહે, શ્રી પટેલે તમારી પાસેથી પૂજ઼ીઓ માગી છે.‘ બાપુજી ચિઠ્ઠી જોઈને રાજી થયા. પોતાની પાસે જે થોડીક પૂણીઓ હતી એ એમણે બહાર કાઢી અને મને પૂછ્યું, ‘કાકા તમારી પાસે પૂણીઓ છે ?' મેં કહ્યું, 'વી છે. પણ મારે પણ પુીઓ જોઈશેસ્તો. મને પાંજનાં છે આવડતું નથી.' ‘એનું કાંઈ નહીં.’ તમારી પાસે હોય તે બધી પૂણીઓ અત્યારે આપી દો. હું તમને પીજતાં શીખવાડીશ.' બીજે જ દિવસે પીંજણકળાના મારા પાઠ શરૂ થયા. બાપુજીના તાબામાં ત્રણ ઓરડીઓ હતી. એમાં ર્બોડ અને પેશાબ-પાત્ર હતું, બીજીમાં પીજા માટેનો સરંજામ છતથી રંગાડેલો હતો. ત્યાં બેસી મેં પ્રાથમિક પાઠો લઈ લીધા અને એ વસ્તુની પાછળ પડી, બે-ત્રા દિવસમાં પૂર્ણ સ્વાવલંબી થો, પછી તો હું બાપુ માટે અને મારે માટે પુશીઓ તૈયાર કરતો થયો. ઘકાકા કાલેલકર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 540