Book Title: Pakshastra Part 01
Author(s): Chhaganlal T Modi
Publisher: Chhaganlal T Modi

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદ્યાત. શ્લોક હાથ લાગ્યા હોય તે બીજી વખત હાથ ન પણ લાગે, અને એક વખત જે શ્લોક તેમાં ન જોવામાં આવ્યા હોય તે જોવામાં પણ આવે. ગુજરાતી ભાષાના મહાકવિ પ્રેમાનંદને થઈ ગયે કાંઈ બહુ વર્ષ થયાં નથી, કદાચ ૨૫૦ કે તે લગભગ વર્ષ થયાં હશે; તે પણ તેના ઓખાહરણની શી અવસ્થા થઈ છે તે જુઓ. એક પ્રત જ્યારે ૮૨ કડવાંની હાથ આવે છે ત્યારે બીજી પ્રત ૭ કવ્વાની અને ત્રીજી પ્રત ૬૯ કડવાંની તો ચેથી પ્રત ૪૨ કડવાંની અને વળી પાંચમી પ્રત ફક્ત ર૭ કડવાંનીજ મળી આવે છે. આ બધામાંથી પ્રેમાનંદ વિરચિત મૂળ પ્રત કયી હશે તે મોટા સેશયની વાત થઇ પડે છે. કઈ એમ માને છે કે સૌથી ઓછાં કડવાંની પ્રત મહાકવિએ લખેલી હોવી જોઈએ અને પાછળથી બીજા કવિઓએ તેમાં ઉમેરે કરવાથી કડવાનો વધારો થયેલો હોવો જોઈએ. કોઈ એમ કહે છે કે ૪૨ કડવાંની પ્રત તેની લખેલી છતાં પાછલા કવિઓએ દોઢ ડાહાપણ કરીને તેમને નીરસ લાગેલાં કડવાં ગાળી નાખેલાં હોવાં જોઈએ; કોઈ કહે છે કે નવ દિવસમાં વેચાઈ રહે તેટલું ટૂંકું કરવા માટે કેટલાંક કડવાં પાછળથી બીજા કવિઓએ ઓછાં કર્યા હશે. જ્યોતિષના બાળબોધ નામે ગ્રંથની પણ એજ દશા છે. આવી જ રીતે કદાચ આત્રેય સંહિતાનું પણ થયું હોય તે કબીર વડના થડની પેઠે તે આજના શોધકોને ભમાવનારું થાય ખરું. આ ગ્રંથનું ભાષાંતર કરવા માટે વડોદરાના નિવાસી રા, રા, ટાલાલ નરભેરામ ભટને વિનવતાં તેમણે હારીત સંહિતાની પંચ પ્રત એકઠી કરી હતી; જેમાંની બે બંગાળામાં વિદલાલસેને એડિટ કરી છપાવેલી હતી. એક પ્રત વડોદરાના વિદ્ય જગન્નાથ પ્રાણશંકર પાસેથી લખેલી સંપૂર્ણ મળી હતી, તે સંવત ૧૭૪૫ ની સાલમાં કુલા ગામમાં લખાયેલી હતી. બીજી બે પ્રત શ્રીમંત ગાયકવાડ સરકારના વિદ્ય બાપુભાઈ લક્ષ્મીરામના ચિરજિવ ઘનશ્યામ વૈદ્ય પાસેથી મળી હતી; તેમાંની એક પ્રત સંવત્ ૧૫ ના સૈકામાં લખાયેલી હતી અને બીજી તૂટક હોવાથી સાલ જાણવામાં આવી નથી તથાપિ તેપણ તેટલી જ જુની હશે એમ તેના લેખ ઉપરથી માલુમ પડતું હતું. વિનોદ લાલસેનની પ્રતો મારી તરફથી મોકલી આપી હતી. તે જે કે અમે સુધારેલી હતી તથાપિ તે ઘણી જગાએ અશુદ્ધજ હતી. વૈદ્ય ઘનશ્યામવાળી એ પ્રતો પણ લેખકે દેજવાળી હતી તથાપિ વિનોદ લાલસેનની છાપેલી પ્રત કરતાં તે ઠીક હતી. વૈદ્ય જગન્નાથવાળી પ્રત સૈ કરતાં ઠીક હતી તથાપિ અશુદ્ધતા તો તેમાં પણ હતી પરંતુ આમ ચાર પાંચ પ્રતો મળી આવવાથી તે ઉપરથી એક નવી સુધારેલી પ્રત ઉત્પન્ન કરવાને ભાષાંતર કર્તાને કેટલીક રીતે અનુકૂળ પડ્યું. મેળવેલી પ્રતના પાઠ ઘણી જગાએ એક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 264