________________
થાય છે અને આત્મપ્રદેશોની પૂર્ણ સ્થિરતા ૧૪મા ગુણસ્થાનકે શૈલેશીકરણ કરતી વખતે સમગ્ર પગલયોગથી છૂટી આત્મપ્રદેશોમાં જયારે વીર્ય પૂર્ણ પ્રવર્તમાન થાય ત્યારે પુગલ યોગ અભાવરૂપ આત્મપ્રદેશોની સ્થિરતા થાય છે અર્થાત્ હવે માત્ર આત્મપ્રદેશોમાં પૂર્ણ આત્મવીર્યનું પ્રવર્તન હોવાથી આત્મપ્રદેશોમાં અસ્થિરતા દૂર થાય છે અને આત્મપ્રદેશો સંપૂર્ણ મેરુ સમાન સ્થિર થઈ સીધા ઊર્ધ્વગતિ કરી લોકાન્ત સ્થિર થાય છે.
આત્મપ્રદેશોની સ્થિરતા માટે યોગ સ્થિરતા જરૂરી. યોગ સ્થિરતા માટે મોહની વિગમતા જરૂરી. સમુદ્ર ભરતી વિના એકદમ શાંત-સ્થિર હોય છે ત્યારે તેમાં ચંદ્રનું પ્રતિબિંબ બરાબર પડે છે અને તે સ્પષ્ટ દેખાય છે પણ વાયુનો પ્રકોપ થતાં સમુદ્રમાં જયારે ભરતી આવે ત્યારે મોજાં ઉછળે અને પાણીમાં તરંગોરૂપી અસ્થિરતા આવે ત્યારે તેમાં ચંદ્રનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી તેમ આત્મામાં પણ મોહરૂપી વાયુ પ્રકોપ પામે એટલે યોગરૂપ અસ્થિરતા શરૂ થાય. જયાં સુધી યોગરૂપી અસ્થિરતા ત્યાં સુધી કર્મનો બંધ થાય. કર્મબંધના ચાર કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. સૌ પ્રથમ કર્મબંધની દીર્ઘ સ્થિતિમાં મુખ્ય કારણ મિથ્યાત્વ છે. અલ્પબંધ માત્ર યોગ નિમિત્ત છે. મિથ્યાત્વ જાય એટલે સંસારની પરંપરાનો અંત આવે. અશુભ અનુબંધનો આધાર મિથ્યાત્વ છે. પ્રશસ્ત અનુબંધનો આધાર સભ્ય છે. સમ્યગ્ગદષ્ટિને અલ્પ કર્મબંધ કહ્યો છે.
પ્પણિ દોર્ડ વંધો આત્મામાં મિથ્યાત્વનો ઉદય જેટલો તીવ્ર તેટલા વિકલ્પોરૂપી તરંગો તીવ્ર પ્રવર્તે, તેમ કર્મબંધ પણ તીવ્ર થયા કરે. મિથ્યાત્વના ઉદયે પર વસ્તુમાં આદર, બહુમાન, સુખબુદ્ધિ, મારાપણું, પર વસ્તુગ્રહણ, પરિણમન, સંગ્રહાદિ ભાવની પ્રબળતા વધે તેથી વીર્ય તે દિશામાં તીવ્ર રુચિવાળું બની તે સંબંધિ પ્રર્વત્તમાન થવાના કારણે આત્મપ્રદેશોમાં અસ્થિરતા વધતી જાય. જેમ જેમ આત્મા પરથી છૂટવાની ભાવનાવાળો બની સ્વગુણ-સ્વરૂપમાં રમણતા-સ્થિરતાના લક્ષવાળો, યોગથી નિવૃત્ત થાય તેમ તેમ આત્મપ્રદેશોમાં સ્થિરતા વૃદ્ધિ પામે.
મમ્મણને ૭મી નરકનો બંધ શા માટે?
મમ્મણને રત્નનો બળદ ઉપાદેય લાગ્યો. ધન મેળવવાની તીવ્ર આસકિતના કારણે ધન માટે રાત- દિવસ પ્રવૃત્તિ કરવા વડે ચિત્તની તદાકારતા માત્ર ધન પ્રાપ્તિમાં રહી. આત્મામાંથી ચિત્ત અસ્થિર થઈ માત્ર ધનમાં સ્થિર થયું. જેમ જેમ આત્મા
અજીવ તત્ત્વ | 13