________________
જીવ અને જડના (જીવ-અજીવ) શેયના જ્ઞાતા બનવું એ જીવનો સ્વભાવ છે તેથી અજીવને જાણીને આપણા આત્માના અસ્તિત્વના જ્ઞાતા બનવા રૂપ અને તેની રુચિ કરવા રૂપ પ્રથમ સમ્યગ્રદર્શન-આત્મગુણરૂપ બનવા જિનાજ્ઞાનું પાલન કરવું જોઈએ. આત્માના અસ્તિત્વના જ્ઞાનના નિર્ણય માટે આકાશાસ્તિકાયના અસ્તિત્વ સ્વરૂપનો નિર્ણય અને તેના વડે આત્માના અસ્તિત્વનો નિર્ણય બહુજ સરળ થાય કારણ કે આત્મદ્રવ્ય અને આકાશાસ્તિકાય દ્રવ્યમાં ઘણી સામ્યતા છે.
ગાથા-૧૦ અવગાહો આગાસ, પુરાલ-જીવાણપુગલા ચઉદા.
ખંધા દેસાએસા, પરમાણ્વ નાયબ્રા||૧૦|| અર્થ: આકાશ, જીવ અને પુદ્ગલને અવકાશ (જગ્યા) આપવાના સ્વભાવવાળું
છે. (સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું એમ ચાર પ્રકારે પુદ્ગલો જાણવા.) આકાશ અને આત્મ દ્રવ્યમાં શું સામ્યતા છે :
(૩) આકાશાસ્તિકાય : “જેમ વ્યોમ નિર્બધ છે, તેમ છે આત્મપ્રદેશ; પણ જડ અંબર, આત્મા ચતન્ય છે પરમેશ,” જેમ આકાશ નિર્લેપ, અરૂપી હોવાથી કોઈથી બંધાતું નથી તેમ આત્મપ્રદેશો પણ નિર્લેપ, અરૂપી હોવાથી કોઈથી બંધાવાના નથી. આમ આત્મા અને આકાશનું સામાન્ય સ્વરૂપ સમાન છે. માત્ર આકાશમાં ચૈતન્યનો અભાવ છે તેથી તે જડ છે. આકાશ એ લોકાલોક વ્યાપી અખંડ અક્ષય દ્રવ્ય છે. જીવ પણ વ્યકિતગત રીતે અખંડ-અક્ષય દ્રવ્ય છે. આકાશ સ્વરૂપે અરૂપી છે. આત્મા પણ સ્વરૂપે અરૂપી છે અને તેથી નિરંજન અને નિરાકાર છે. એ જ રીતે આકાશ પણ નિરંજન નિરાકાર છે. આમ છતાં આકાશ જે વાદળી રંગ રૂપે દેખાય છે તે શું છે? તે ભ્રમ છે. આકાશમાં રહેલા વાયુમંડળ તથા પોદ્ગલિક રજના કારણે દર્શનક્રિયાના નિયમાનુસાર વસ્તુ વિવિધ રંગની દેખાય. સૂર્યના કિરણો વાતાવરણમાં અમુક રીતે પ્રસરતા હોવાથી, આકાશ આકૃતિ રહિત હોવા છતાં ઘુમ્મટાકારે દેખાય છે. તેમાં સૂર્યના વક્રાકાર કિરણો કારણભૂત બને છે. આત્મા અગુરુલઘુ છે તેમ આકાશ પણ અગુરુલઘુ-વજનદાર કે હલકું નથી. નિર્લેપ દ્રવ્ય છે. અવ્યાબાધ જેમ આત્માનું સ્વરૂપ છે અર્થાત્ શુદ્ધાત્મા દ્રવ્ય કોઈને પણ પીડા કરી શકતું નથી અને કોઈથી પીડા પામી શકતું નથી તેમ આકાશ દ્રવ્ય નિર્લેપ, અવ્યાબાધ છે તેથી તેને ગમે તેટલી તલવારાદિ તીક્ષ્ણ શસ્ત્રાદિની કોઈ
અજીવ તત્ત્વ | 9