________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮) સ્કંધરૂપ બની બહુપ્રદેશી થવાની શક્તિ છે; તેથી ઉપચારથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. પ્ર. ૩૧-જીવાદિ છ દ્રવ્યોમાં બે ભેદ કઈ રીતે પાડશો? ઉ. (૧) જીવ, અજીવ; (૨) રૂપી, અરૂપી (૩) ક્રિયાવતી
શક્તિ અને ભાવવતી શક્તિવાળા. (૪) બહુપ્રદેશી અને
એકપ્રદેશી. પ્ર. ૩ર-અજીવ દ્રવ્યો કયા? ઉ. પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ. પ્ર. ૩૩-રૂપી એટલે શું? અને અરૂપી એટલે શું? ઉ. જે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સહિત હોય તે રૂપી અને
તેનાથી જે રહિત હોય તે અરૂપી. પ્ર. ૩૪-છ દ્રવ્યોમાં રૂપી કોણ અને અરૂપી કોણ? ઉ એક પુદ્ગલ દ્રવ્ય રૂપી છે; બાકીના પાંચ દ્રવ્યો અરૂપી છે. પ્ર. ૩૫-આત્માને પ્રદેશરૂપ અસંખ્ય અવયવો માનવાથી તેના
ખંડ થાય કે નહિ? ઉ. ના; કારણ કે આત્મા ક્ષેત્રદ્વારા અખંડિત હોવાના કારણથી તેના ખંડ થઈ શકે નહિ.
(પંચાધ્યાયી ભા. ૧-ગાથા ૪૧૪) પ્ર. ૩૬-જીવ, પુદ્ગલ, આકાશ અને કાલને બે બે ભેદમાં મૂકો.
* જુઓ પ્રશ્ન-પર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com