Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 391
________________ Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates (૧૩૦) * અલ્પજ્ઞ પર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીત થાય, પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય; ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે. *પ્રતીત કરનાર તો પર્યાય છે, પણ તેને આશ્રય દ્રવ્યનો છે. * દ્રવ્યના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કરનાર જીવને સર્વજ્ઞતારૂપે પરિણમન થયા વગર રહે નહિ. * અલ્પજ્ઞ પર્યાય વખતે પણ પોતામાં સર્વજ્ઞત્વશક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું જોર અલ્પજ્ઞપર્યાય ઉપ૨થી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે જીવ ‘સર્વજ્ઞ ભગવાનનો નંદન' થયો છે. * હજુ પોતાને સર્વજ્ઞપણું પ્રગટયા પહેલાં પણ ‘મારો આત્મા ત્રણે કાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની તાકાતવાળો છે ’– એમ જેણે સ્વસન્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે ૫રને પોતાનું સ્વરૂપ ન માને; પોતાના પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ઉપર જ તેની દૃષ્ટિ હોય. * જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનશક્તિની પ્રતીત કરે તેજ ખરો જૈન અને સર્વજ્ઞદેવનો ભક્ત છે. * આત્મા પરને લ્યુ-મૂકે, કે તેમાં ફેરફાર કરે એમ જે માને છે તે જીવ આત્માની શક્તિને, સર્વજ્ઞદેવને કે જૈનશાસનને માનતો નથી. તે ખરેખર જૈન નથી. * જુઓ ભાઈ ! આત્માનો સ્વભાવ જ ‘સર્વજ્ઞ' છે. સર્વજ્ઞશક્તિ બધા આત્મામાં ભરી છે. ‘સર્વજ્ઞ' એટલે બધાને જાણનાર. બધાને જાણે એવો મોટો મહિમાવંત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415