Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 389
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૮) ગુણસ્થાનના કાળના દ્વિચરમ સમયમાં સત્તાની ૮૫ પ્રકૃતિઓમાંથી ૭ર પ્રકૃતિઓનો અને ચરમ સમયમાં ૧૩ પ્રકૃતિઓનો નાશ કરીને અરહંત ભગવાન મોક્ષધામે ( સિદ્ધશિલાએ) પધારે છે. [ સૂચનાઃ- દરેક ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય છે અને કર્મ પ્રકૃતિઓનો ઉદય હોય છે વગેરે સંબંધી જ્ઞાન માટે જુઓ “શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા”] પ્ર. ૨૩૭-નવ દેવતા નામ કહો. ઉ. અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનધર્મ, જિનવચન, (શૃંગારાદિ દોષ રહિત અને સાક્ષાત્ જિનેશ્વર સમાન હોય એવી જ) જિનપ્રતિમા અને જિનમંદિર-એ નવ દેવ છે. (શ્રી “લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા') પ્ર. ૨૩૮-અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આસ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આસ્રવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની ? ઉ. સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે; કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવર્યો છે. તેને પ્રકૃતિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી પદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવ-બંધ થાય છે તેનું સ્વામિપણે તેને નથી. અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી સર્વથા નિવૃત થવા જ ઈચ્છે છે; તેથી તે જ્ઞાની જ છે.(સમયસાર ગાથા ૭ર નો ભાવાર્થ) સમાસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415