Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 400
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ-૨ દ્રવ્યાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ કોઈ જીવ કહે છે કે, દ્રવ્યાનુયોગમાં વ્રત, સંયમાદિક વ્યવહારધર્મનું હીનપણું પ્રગટ કર્યું છે, સમ્યગ્દષ્ટિના વિષયભોગાદિને નિર્જરાનાં કારણ કહ્યાં છે, ઈત્યાદિ કથન સાંભળી જીવ સ્વચ્છંદી બની પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે, તેથી તેને વાંચવા-સાંભળવા યોગ્ય નથી. તેને કહીએ છીએ કે - જેમ સાકર ખાતાં ગધેડું મરી જાય તો તેથી કાંઈ મનુષ્ય તો સાકર ખાવી ન છોડે, તેમ કોઈ વિપરીતબુદ્ધિ જીવ અધ્યાત્મ-ગ્રંથો સાંભળી સ્વચ્છંદી થાય તો તેથી કાંઈ વિવેકી જીવ તો અધ્યાત્મ-ગ્રંથોનો અભ્યાસ ન છોડે. હા, એટલું કરે કે જેને સ્વચ્છંદી થતો જાણે તેને, જેમ તે સ્વચ્છેદી ન થાય તેવો ઉપદેશ આપે; વળી અધ્યાત્મ-ગ્રંથોમાં પણ સ્વચ્છંદી થવાનો ઠામઠામ નિષેધ કરવામાં આવે છે. તેથી જ તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી; છતાં કોઈ એકાદ વાત સાંભળી કોઈ પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો દોષ નથી પણ તે જીવનો જ દોષ છે. વળી જો જાડી દોષકલ્પના વડે અધ્યાત્મ શાસ્ત્રોના વાંચન-શ્રવણનો નિષેધ કરવામાં આવે તો મોક્ષમાર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં જ છે! એટલે તેનો નિષેધ કરતાં મોક્ષમાર્ગનો નિષેધ થાય છે. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણાં જીવોનું કલ્યાણ થાય છે, છતાં કોઈને ઉલટું નુકશાન થાય તો તેની મુખ્યતા કરી મેઘનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415