Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 398
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૭) * અરિહંત ભગવાન જેવી આત્માની સર્વજ્ઞશક્તિ પોતામાં ભરી છે. જો અરિહંત ભગવાન સામે જ જોયા કરે ને પોતાના આત્મા તરફ વળીને નિજશક્તિને ન સંભાળે તો મોહનો ક્ષય થાય નહિ. જેવા શુદ્ધ અરિહંત ભગવાન છે તેવો જ હું છું એમ જો પોતાના આત્મા તરફ વળીને જાણે તો સમ્યગ્દર્શન પ્રગટીને મોહનો ક્ષય થાય છે. તેથી, પરમાર્થે અરિહંત ભગવાન આ આત્માના ધ્યેય નથી, પણ અરિહંત જેવા સામર્થ્યવાળો પોતાનો આત્મા જ પોતાનું ધ્યેય છે. અરિહંત ભગવાનની શક્તિ તેમનામાં છે. તેમની પાસેથી કાંઈ આ આત્માની શક્તિ આવતી નથી; તેમના લક્ષે તો રાગ થાય છે. * પ્રભો! તારી ચૈતન્યસત્તાના અસંખ્યપ્રદેશી ખેતરમાં અચિંત્ય નિધાન ભર્યા છે, તારી સર્વજ્ઞશક્તિ તારા જ નિધાનમાં પડી છે, તેની પ્રતીત કરીને સ્થિરતા દ્વારા તે ખોદ તો તારા નિધાનમાંથી સર્વજ્ઞતા પ્રગટે. * જેમ પૂર્ણતાને પામેલા જ્ઞાનમાં નિમિત્તનું અવલંબન નથી, તેમ નીચલી દશામાં પણ જ્ઞાન નિમિત્તને લીધે થતું નથી, એટલે ખરેખર પૂર્ણતાની પ્રતીત કરનારો સાધક પોતાના જ્ઞાનને પરાવલંબને માનતો નથી, પણ સ્વભાવના અવલંબને માનીને સ્વ તરફ વળે છે. * સર્વજ્ઞશક્તિવાળા પોતાના આત્મા સામે જુએ તો સર્વજ્ઞતા મળે તેમ છે, પર સામે જોયે આત્માનું કાંઈ વળે તેમ નથી. અનંતકાળ પર સામે જોયા કરે તો ત્યાંથી સર્વજ્ઞતા મળવાની નથી, ને નિજસ્વભાવ સામે જોઈને સ્થિર થતાં ક્ષણમાત્રમાં સર્વજ્ઞતા પ્રગટી જાય તેવું છે. * સર્વજ્ઞતા પ્રગટયા પહેલાં સાધકદશામાં જ આત્માની પૂર્ણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415