Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 399
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૮) શક્તિની પ્રતીત હોય છે. પૂર્ણ શક્તિની પ્રતીત કરીને તેનો આશ્રય લેવાથી જ સાધકદશા શરૂ થઈને પૂર્ણ દશા પ્રગટે છે. * “અહો! મારું સર્વજ્ઞપદ પ્રગટવાની તાકાત મારામાં વર્તમાન ભરી જ છે –આમ સ્વભાવસામર્થ્યની શ્રદ્ધા કરતાં જ તે અપૂર્વ શ્રદ્ધા જીવને બહારમાં ઉછાળા મારતો અટકાવી દે છે ને તેના પરિણમનને અંતર્મુખ કરી દે છે. સ્વભાવ-સન્મુખ થયા વિના સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત થાય નહિ. * અંતરમુખ થઈને સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત કરતાં તેમાં મોક્ષની ક્રિયા-ધર્મની ક્રિયા આવી જાય છે. જે જીવ સ્વભાવસમ્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી અને નિમિત્તની સન્મુખતાથી લાભ માને છે તે જીવને વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી નથી ને સ્વભાવબુદ્ધિ થઈ નથી. * સ્વભાવની બુદ્ધિવાળો ધર્મી જીવ એમ જાણે છે કે માથું કાપનાર કસાઈ કે દિવ્યવાણી સંભળાવનાર વીતરાગદેવ એ બન્ને મારા જ્ઞાનના જ્ઞયો છે. તે જ્ઞયોને કારણે મને કાંઈ નુકશાન કે લાભ નથી તેમ જ તે શેયોને કારણે હું તેને જાણતો નથી. રાગ-દ્વેષ વગર સમસ્ત યોને જાણી લેવાની સર્વજ્ઞશક્તિ મારામાં છે. કદાચ અસ્થિરતાનો વિકલ્પ આવી જાય તોપણ ધર્મીને આવી શ્રદ્ધા તો ખસતી જ નથી. * પોતાના જે પૂર્ણસ્વભાવને પ્રતીતમાં લીધો છે તેના જ અવલંબનના બળે અલ્પકાળમાં ધર્મીને પૂર્ણ સર્વજ્ઞતા ખીલી જાય છે. * જય હો તે સર્વજ્ઞતાનો અને સર્વજ્ઞતાના સાધક સંતોનો ! (આત્મધર્મ અંક નં. ૧૨૦) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415